શોધખોળ કરો

ભારત- પાકિસ્તાન સરહદ પરના ગામો દેશભક્તિના રંગે રંગાયા, જુઓ તસવીરો

સરહદી ગામ પાડણ અને નડાબેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો.

સરહદી ગામ પાડણ અને નડાબેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો.

ભારત- પાકિસ્તાન સરહદ પરના ગામો દેશભક્તિના રંગે રંગાયા

1/7
પાલનપુરઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 9 થી 30 ઓગસ્ટ દરમિયાન 'મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન' અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ પાડણ અને નડાબેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. ભારત- પાકિસ્તાન સરહદ નજીક આવેલ પાડણ ગામમાં ગૃહ રાજ્ય મંત્રીના આગમન સમયે દીકરીઓએ હાથમાં ત્રિરંગા લઈ ભવ્ય સ્વાગત કરતા આ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.
પાલનપુરઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 9 થી 30 ઓગસ્ટ દરમિયાન 'મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન' અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ પાડણ અને નડાબેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. ભારત- પાકિસ્તાન સરહદ નજીક આવેલ પાડણ ગામમાં ગૃહ રાજ્ય મંત્રીના આગમન સમયે દીકરીઓએ હાથમાં ત્રિરંગા લઈ ભવ્ય સ્વાગત કરતા આ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.
2/7
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક- શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે 'વસુધા વંદન' કાર્યક્રમ અંતર્ગત મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક- શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે 'વસુધા વંદન' કાર્યક્રમ અંતર્ગત મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.
3/7
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ મારી માટી, મારો દેશ કાર્યક્રમ અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર પાડણ અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા છે ત્યારે દેશની આન, બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ ભારતીય સૈન્યના હાથમાં લહેરાઈ રહ્યો છે. હાલ સમગ્ર બોર્ડર વિસ્તારમાં મારી માટી, મારો દેશની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ આ અભિયાનમાં જોડાઈને દેશ માટે પંચ પ્રણની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ મારી માટી, મારો દેશ કાર્યક્રમ અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર પાડણ અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા છે ત્યારે દેશની આન, બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ ભારતીય સૈન્યના હાથમાં લહેરાઈ રહ્યો છે. હાલ સમગ્ર બોર્ડર વિસ્તારમાં મારી માટી, મારો દેશની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ આ અભિયાનમાં જોડાઈને દેશ માટે પંચ પ્રણની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.
4/7
દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડવાનો અભિનવ અવસર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે બોર્ડર પર સીમા દર્શનની સાથે સાથે મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન' કાર્યક્રમ દ્વારા લોકો ઉજવણીનો બેવડો આનંદ માણી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.
દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડવાનો અભિનવ અવસર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે બોર્ડર પર સીમા દર્શનની સાથે સાથે મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન' કાર્યક્રમ દ્વારા લોકો ઉજવણીનો બેવડો આનંદ માણી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.
5/7
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, BSF ના ડી.આઇ.જી. ભૂપેન્દ્રસિંઘ, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ અને  ઉમેદદાન ગઢવી, સીમા જાગરણ મંચ ગુજરાતના સભ્યો જીવનભાઈ આહીર,  કિશોરભાઈ વ્યાસ,  પરસોત્તમભાઈ દેસાઈ,  કરસનભાઈ પટેલ સહિત આ વિસ્તારના ગામોના સરપંચઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, BSF ના ડી.આઇ.જી. ભૂપેન્દ્રસિંઘ, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ અને ઉમેદદાન ગઢવી, સીમા જાગરણ મંચ ગુજરાતના સભ્યો જીવનભાઈ આહીર, કિશોરભાઈ વ્યાસ, પરસોત્તમભાઈ દેસાઈ, કરસનભાઈ પટેલ સહિત આ વિસ્તારના ગામોના સરપંચઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
6/7
માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનારા વીર શહીદોની શિલાફલકમનું મંત્રીએ અનાવરણ કરી શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ  માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનારા સરહદના શહીદ વીરો સ્વ. ધરમસિંગ સવસીભાઈ ઠાકોર- જલોયા તા. સૂઇગામ, સ્વ. ભગવાનભાઈ ભુરાજી ઠાકોર - જલોયા તા.સૂઈગામ, સ્વ. રણછોડભાઈ સવાભાઈ રબારી
માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનારા વીર શહીદોની શિલાફલકમનું મંત્રીએ અનાવરણ કરી શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનારા સરહદના શહીદ વીરો સ્વ. ધરમસિંગ સવસીભાઈ ઠાકોર- જલોયા તા. સૂઇગામ, સ્વ. ભગવાનભાઈ ભુરાજી ઠાકોર - જલોયા તા.સૂઈગામ, સ્વ. રણછોડભાઈ સવાભાઈ રબારી "પગી"- લીંબાળા તા. સૂઈગામ, સ્વ. ધનજીભાઈ કેશરાભાઈ ખાગડા (ચૌધરી) -દેથલી તા. વાવ અને સ્વ. ખાનાભાઇ રામાભાઇ પટેલ- ઢીમા તા. વાવના શિલાફલકમનું ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ અનાવરણ કરી આ શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મા ભોમની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર શહીદોના પરિવાજનોનું મંત્રીએ શાલ ઓઢાડી, સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.
7/7
ભારત- પાકિસ્તાન સરહદ પરના ગામો દેશભક્તિના રંગે રંગાયા
ભારત- પાકિસ્તાન સરહદ પરના ગામો દેશભક્તિના રંગે રંગાયા

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Embed widget