શોધખોળ કરો
Delhi Election Results 2025: જંગપુરાની જંગમાં મનીષ સિસોદિયાને હરાવનારા BJPના તરવિંદર સિંહ મારવાહ કોણ છે ?
Delhi Election Results 2025: જંગપુરાની જંગમાં મનીષ સિસોદિયાને હરાવનારા BJPના તરવિંદર સિંહ મારવાહ કોણ છે ?

તરવિંદર સિંહ મારવાહ
1/6

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના તોફાનમાં આમ આદમી પાર્ટી સાફ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા હાઈ-પ્રોફાઈલ સીટ જંગપુરાથી ચૂંટણી હારી ગયા છે. સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી છે. સિસોદિયાને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.
2/6

તરવિંદર સિંહ મારવાહ એક સમયે કોંગ્રેસમાં હતા, પરંતુ જુલાઈ 2022માં તેઓ ભાજપમાં જોડાયા હતા. મારવાહ જંગપુરા સીટથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1998ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. આ પછી તેઓ 2003 અને 2008ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા. 2013 પછી આ પ્રથમ વખત છે જ્યારે તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
3/6

હિન્દુસ્તાન ટાઈમ્સના એક જૂના અહેવાલ મુજબ મારવાહ તેના કોલેજકાળથી જ રાજકારણમાં સક્રિય છે. તેમણે ડીએવી કોલેજમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી અને 1976માં કોંગ્રેસમાં જોડાયા.
4/6

બીજેપી નેતા મારવાહના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની સુરિન્દર પાલ કૌર મારવાહ પ્રોપર્ટીનો બિઝનેસ ચલાવે છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે.
5/6

દિલ્હી વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે પરિણામ આવી રહ્યા છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપે બહુમતીના આંકને પાર કરી લીધો છે અને જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય તો ભાજપ સરકાર બનાવશે તે નિશ્ચિત છે.
6/6

દિલ્હી વિધાનસભામાં કુલ 70 બેઠકો છે અને બહુમત માટે 36 બેઠકોની જરૂર છે. ભાજપ દિલ્હીમાં 1993ની વિધાનસભા ચૂંટણી જીતી હતી અને ત્યારથી સત્તામાં પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહી હતી અને 27 વર્ષ બાદ તેનો વનવાસ સમાપ્ત થઈ રહ્યો છે.
Published at : 08 Feb 2025 01:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
