શોધખોળ કરો
Advertisement
IPL 2020 કોરોનાનો કહેર યથાવત, બોર્ડના મહત્ત્વના સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
આ પહેલા 29 ઓગસ્ટના રોજ બીસીસીઆઈના બે ખેલાડીઓ સહિત સીએસકના 13 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવાવની જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલ લીગની 13મી સીઝન પર કોરોનાનો કહેર યથાવત છે. યૂએઈપીમાં રહેલ BCCIની મેડિકલ ટીમના એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા સીએસકી ટીમના બે ખેલાડી અને 11 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બેંગલુરુમાં આવેલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં બે સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી સામે આવી છે.
એએનઆઈના રિપોર્ટ અનુસાર બીસીસીઆઈની મેડિકલ ટીમના સીનિયર સભ્યએ પોતાના સાથીને કોરોના પોઝિટિવ આવાવની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, “એ સાચું છે કે અમારા એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેમનામાં કોરોનાના લક્ષણ નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોરોના પોઝિટિવ મળી આવેલ સભ્યને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.''
આ પહેલા 29 ઓગસ્ટના રોજ બીસીસીઆઈના બે ખેલાડીઓ સહિત સીએસકના 13 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવાવની જાણકારી આપી હતી. સીએસકે ટીમના મેનેજમેન્ટનો દાવો છે કે આ તમામ સભ્યનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. જોકે 14 દિવસ સુધી કોરેન્ટાઈન પીરિયર પૂરો થયા બાદ જ આ સભ્યો ફરી જોડાઈ શકશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion