શોધખોળ કરો

Match Fixing: ચાલુ એશિયા કપ વચ્ચે શ્રીલંકાના આ ખેલાડીની ધરપકડ,જાણો શું છે મામલો

Sri Lanka Team: શ્રીલંકાન ટીમના ભૂતપૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સેનાનાયકે પર 3 અઠવાડિયા પહેલા વિદેશ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Match fixing Sachithra Senanayake:શ્રીલંકાન ટીમના ભૂતપૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સેનાનાયકે પર 3 અઠવાડિયા પહેલા વિદેશ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

શ્રીલંકાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં 6 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં રમનારા સેનાનાયકે પર 2020માં લંકા પ્રીમિયર લીગ દરમિયાન એક મેચમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયકેને વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો.                                           

સચિત્રા સેનાનાયકેને ખેલ મંત્રાલયના વિશેષ તપાસ એકમ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સેનાનાયકે પર આરોપ છે કે, તેણે મેચ ફિક્સ કરવા માટે ટેલિફોન દ્વારા બે ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો. કોલંબોની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થતાં સેનાનાયકેને ગયા મહિને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.                                              

મેચ ફિક્સિંગને લઈને તેના પર લાગેલા આરોપો અંગે સચિત્રા સેનાનાયકેએ તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. સેનાનાયકેએ વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી, તેણે શ્રીલંકા માટે 49 ODI મેચોમાં 35.35ની એવરેજથી 53 વિકેટ લીધી. જ્યારે સેનાનાયકે 24 ટી20 મેચ રમીને 25 વિકેટ લીધી હતી અને તેને શ્રીલંકા માટે 1 ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી હતી.

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો

2014માં જ્યારે શ્રીલંકાએ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે જીત મેળવી હતી, ત્યારે સેનાનાયકે પણ તે ટીમનો એક ભાગ હતો. સેનાનાયકે એ વર્લ્ડ કપમાં 6 મેચમાં માત્ર 4 વિકેટ લીધી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, સેનાનાયકેને શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે થોડા મહિનાના પ્રતિબંધનો સામનો પણ કરવો પડ્યો છે. સેનાનાયકે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે અને તેણે 8 મેચમાં 9 વિકેટ લીધી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget