શોધખોળ કરો

વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ

ગ્રુપ લેવલની મેચોમાં જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઇ રહેશે તો તેને ટાઇ જ માનવામાં આવશે, પણ સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી કરાવવામાં આવશે જ્યાં સુધી પરિણામ ના આવે

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019ની ક્રિકેટ ફાઇનલમાં સુપર ઓવરમાં મેચ ટાઇ રહી, બાદમાં ન્યૂઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયુ આને લઇને ક્રિકેટ જગતમાં વિવાદ થયો હતો. કેટલાય દિગ્ગજોએ નિયમનો ખોટો ગણાવ્યો હતો. જેને લઇને હવે આઇસીસીને સુપર ઓવરના નિયમનો બદલવાનો વારો આવ્યો છે. ફેરફાર કરેલો સુપર ઓવર નિયમ..... આઇસીસીએ બદલેલા સુપર ઓવરના નવા નિયમ પ્રમાણે, જો સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવરમાં બન્ને ટીમો બરાબર (એકસરખા) રન બનાવે છે, તો ફરીથી સુપર ઓવર થશે. સુપર ઓવર ત્યાં સુધી થશે જ્યાં સુધી કોઇ એક ટીમ વિજેતા ના બની જાય. વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ આઇસીસીની બોર્ડની બેઠક બાદ એક સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યુ, 'આઇસીસી ક્રિકેક સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ)ની સમિતીની ભલામણ બાદ આ સહમતી બની છે કે સુપર ઓવરનો ઉપયોગ આઇસીસીની મેચોમાં ચાલુ રહેશે, અને આને ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી ટૂર્નામેન્ટનુ પરિણામ સ્પષ્ટ રીતે ના આવે. આ મામલામાં ક્રિકેટ સમિતિ અને સીઇઓ બન્ને સહમત હતા કે રમતને રોમાંચક અને આકર્ષક બનાવવા માટે વનડે અને ટી20 વર્લ્ડકપની બધી મેચોમાં આનો ઉપયોગ કરવામાં આવશે.'' વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ સ્ટેટમેન્ટ અનુસાર, 'ગ્રુપ લેવલની મેચોમાં જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઇ રહેશે તો તેને ટાઇ જ માનવામાં આવશે, પણ સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી કરાવવામાં આવશે જ્યાં સુધી પરિણામ ના આવે.' વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ નોંધનીય છે કે, 14 જુલાઈના લોર્ડ્સના મેદાન પર રમાયેલી વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હાર આપી હતી. આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 241 રન બનાવ્યા હતા, ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનવા 242 રન બનાવવાના હતા પરંતુ 241 રન જ કરી શકતા મેચ ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં પણ બંને ટીમોએ સરખા બનાવ્યા હતા. આખરે ઈંગ્લેન્ડે મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારી હોવાથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget