શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs ENG : 33 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ રમતી વખતે બન્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત
ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવ્યા વગર ઝીરો રને વિકેટ ગઈ હતી. તેની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતી વખતે અનોખો રેકોર્ડ બન્યો છે.
![IND vs ENG : 33 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ રમતી વખતે બન્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત Ind vs eng after 33 years later a unique record was set while playing Tests in India IND vs ENG : 33 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ રમતી વખતે બન્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/14181002/team-india-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
photo-bcci
IND vs ENG: બીજા દિવસની રમતમાં ભારતીય ટીમે ઇંગ્લિશ ટીમ પર મજબૂત પકડ બનાવી લીધી છે, લંચ બ્રેક સુધીમાં ભારતીય બૉલરોએ તરખાટ મચાવતા માત્ર 39 રનના સ્કૉર પર મહેમાનન ટીમની 4 વિકેટો ઝડપી દીધી છે. ભારત તરફથી અશ્વિને બે વિકેટ, જ્યારે ઇશાંત અને અક્ષરે એક-એક વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવ્યા વગર ઝીરો રને વિકેટ ગઈ હતી. તેની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતી વખતે અનોખો રેકોર્ડ બન્યો છે.
ભારતમાં ટેસ્ટ મેચ દરમિયાન ત્રીજી વખત એવું બન્યું છે કે જ્યારે બન્ને ટીમો પોતાની પ્રથમ ઈનિંગમાં એક પણ રન બનાવ્યા વગર વિકેટ ગુમાવી હોય. ઈંગ્લેન્ડ સામેની આ બીજી ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગમાં શુભમન ગિલ આઉટ થયો હતો.
આ પહેલા વર્ષ 1986/87માં જયપુરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ અને તેના બાદ 1987/88માં દિલ્હીમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં બન્ને ટીમોએ પોતાની પ્રથમ ઈનિંગમાં ઝીરો રન વિકેટ ગુમાવી હતી.
કેવી રહી ભારતીય ઈનિંગ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રિષભ પંત 58 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા.
આ ત્રણ બેટ્સમેનનું મહત્તમ યોગદાન
ભારતના કુલ રન પૈકી રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને રિષભ પંતે જ 286 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોએ જ 87 ટકા રન રન ફટકાર્યા હતા. આ સિવાયના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. માત્ર પુજારા (21 રન) અને અશ્વિન (13 રન) ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ગિલ, કોહલી, ઈશાંત અને કુલદીપ યાદવ તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)