શોધખોળ કરો
IND vs WI: આવતીકાલે ત્રીજી T 20, જાણો કોને મૂકવામાં આવી શકે છે પડતા અને કોનો થઈ શકે છે સમાવેશ
ભારતીય ટીમમાં સૌની નજર યુવા ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત પર રહેશે. સુંદરના સ્થાને ટીમ મેનેજમેન્ટ ચાઈનામેન બોલર કુલદીપ યાદવને મોકો આપી શકે છે. રિષભ પંતના સ્થાને સંજુ સેમસનને મોકો મળશે કે નહીં તેના પર પણ નજર રહેશે.

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો અંતિમ અને નિર્ણાયક ટી-20 મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બુધવારે સાંજે 7 કલાકથી મેચ શરૂ થશે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-20 જીતીને સીરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી20માં કોહલીની આક્રમક બેટિંગના સહારે ભારતે જીત મેળવી હતી.
ભારતીય ટીમમાં સૌની નજર યુવા ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત પર રહેશે. સુંદરના સ્થાને ટીમ મેનેજમેન્ટ ચાઈનામેન બોલર કુલદીપ યાદવને મોકો આપી શકે છે. રિષભ પંતના સ્થાને સંજુ સેમસનને મોકો મળશે કે નહીં તેના પર પણ નજર રહેશે.
આ ઉપરાંત ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવી શકે છે. પ્રથમ બંને ટી20 ભુવનેશ્વર કુમાર અને દીપક ચહર ખર્ચાળ સાબિત થયા હતા. આ સિવાય ટીમમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે તેવી સંભાવના છે.
ત્રીજી ટી-20 માટે સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સંજુ સેમસન, શ્રેયસ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
કોણ તોડશે ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ ? લારાએ આપ્યા બે ભારતીયોના નામ, જાણો શું કહ્યું
જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
