શોધખોળ કરો

BCCIના સહારે જ ચાલી રહ્યું છે પાકિસ્તાન ક્રિકેટ, ખુદ પીસીબી પ્રમુખ રમીજ રાજાએ કબુલી વાત

રમીજ રાજાએ પીસીબીના અધિકારીઓની સાથે મીટિંગમાં આ વાત કહી છે. એટલુ જ નહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની કુલ કમાણીનો 50 ટકા ભાગ આઇસીસી પાસેથી મળે છે.

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ રમીજ રાજાનુ બીસીસીઆઇને લઇને તાજા નિવેદન ચર્ચાનો વિષય બન્યુ છે. રમીજ રાજાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેને કહ્યું કે દુનિયાભરમાં ક્રિકેટ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડના સહારે જ ચાલી રહ્યું છે. રમીજ રાજાનુ કહેવુ છે કે આઇસીસીએ પોતાની આવકનો 90 ટકા હિસ્સો બીસીસીઆઇથી હાંસલ કરે છે. 

રમીજ રાજાએ પીસીબીના અધિકારીઓની સાથે મીટિંગમાં આ વાત કહી છે. એટલુ જ નહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની કુલ કમાણીનો 50 ટકા ભાગ આઇસીસી પાસેથી મળે છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ બીસીસીઆઇના સહારે જ ચાલી રહ્યું છે. 

રમીજ રાજાએ જોકે, આઇસીસી પર ગંભીર આરોપ પણ લગાવ્યો છે. પીસીબી પ્રમુખે કહ્યું - આઇસીસી રાજનીતિક રંગથી રંગાયેલી સંસ્થા છે, જે એશિયન અને પશ્ચિમી ગૃપોમાં વહેંચાયેલી છે, અને આની 90 ટકા આવક ભારતમાંથી આવે છે. 

મુશ્કેલ સ્થિતિમાં છે પાકિસ્તાન ક્રિકેટ-
રમીજ રાજાએ કહ્યું- એકબાજુથી ભારતના વ્યાપારિક પરિવારો પાકિસ્તાન ક્રિકેટને ચલાવી રહ્યાં છે. જો કાલે ભારતીય વડાપ્રધાન ફેંસલો કરે છે કે તે પાકિસ્તાનને કોઇ આવક નહીં લેવા દે, તો આનાથી આપણુ ક્રિકેટ બોર્ડ વિખેરાઇ જશે. 

ઉલ્લેખનીય છે કે, રમીજ રાજાના પીસીબી પ્રમુખ બન્યા બાદથી પાકિસ્તાન ક્રિકેટની હાલત ખુબ ખરાબ છે. ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ અને શ્રીલંકાએ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. 


BCCIના સહારે જ ચાલી રહ્યું છે પાકિસ્તાન ક્રિકેટ, ખુદ પીસીબી પ્રમુખ રમીજ રાજાએ કબુલી વાત


ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને હરાવે તો પીસીબી માટે 'કોરો ચેક' તૈયાર જ છે, કોણે કરી આ મોટી જાહેરાત ?

India vs Pakistan in T20 World Cup: ક્રિકેટ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રોમાંચક મેચ હોય છે. જો બંને ટીમો વર્લ્ડકપ જેવી ટુર્નામેન્ટમાં આમને સામને હોય તો ક્રિકેટ ચાહકો ફાઇનલ પહેલા આ મેચને ફાઇનલ કહે છે. જ્યારે પણ આ બે કટ્ટર હરીફ સામસામે આવે છે, ત્યારે બંને ટીમના ખેલાડીઓ મેચ જીતવા પોતાની તમામ તાકાત લગાવતા હોય છે.

જોકે, વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ શરમજનક છે. તે ક્યારેય વનડે અને ટી 20 બંને ફોર્મેટમાં ભારત સામે જીત નોંધાવી શક્યો નથી. જો તે આ વખતે આવું કરે છે, તો પાકિસ્તાનના મોટા રોકાણકાર આ વિજયના બદલામાં ટીમને કોરો ચેક આપવા તૈયાર છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાનના એક સમાચાર અનુસાર, રમીઝ રાજાએ કહ્યું કે પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ તેમને વચન આપ્યું છે કે જો તેમની ટીમ આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભારતને હરાવે તો તેઓ કોરો ચેક સોંપશે. પીસીબી ચીફ રમીઝ રાજાને બાબર આઝમની કેપ્ટન્સીવાળી ટીમમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે તે પોતાના કટ્ટર હરીફ ભારતને વર્લ્ડ કપમાં હરાવવામાં સફળ રહેશે. રમીઝે કહ્યું, 'એક મોટા રોકાણકારે મને કહ્યું કે જો આગામી ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને હરાવે તો પીસીબી માટે એક કોરો ચેક તૈયાર છે.' રમીઝ રાજાએ આ વાત આંતર-પ્રાંતીય સંકલન (આઈપીસી) ની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કહી હતી. તમને જણાવી દઈએ કે બંને ટીમો વર્લ્ડ કપમાં કુલ 12 વખત આમને -સામને છે. આ દરમિયાન, બંને ટીમો વનડે વર્લ્ડ કપમાં 7 વખત અને ટી 20 વર્લ્ડ કપમાં 5 વખત એકબીજા સામે રમ્યા છે. વનડે વર્લ્ડ કપમાં તેનો રેકોર્ડ 7-0 છે, જ્યારે ટી 20 વર્લ્ડ કપમાં તે આજ સુધી ભારત સામે જીત્યો નથી.

વર્ષ 2007 માં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી હતી, ત્યારે પાકિસ્તાને ભારત સામે મેચ રમી હતી પરંતુ મેચ ટાઈ થયા બાદ બોલ્ડ આઉટમાં પાકિસ્તાન હારી ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલોGujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચારGujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટMahisagar News : મહિસાગરમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર કરાયા દૂર, જુઓ શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11  દેશ માટે  ડોનાલ્ડ ટ્રમ્પે  લીધો આ મહત્વનો નિર્ણય
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11 દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો આ મહત્વનો નિર્ણય
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
GPSCએ પરીક્ષાર્થીઓ માટે લીધા ત્રણ મોટા નિર્ણય, ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી
GPSCએ પરીક્ષાર્થીઓ માટે લીધા ત્રણ મોટા નિર્ણય, ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી
Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી
Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી
Embed widget