શોધખોળ કરો
હવે ક્રિકેટમાં સચિનની 10 નંબરની જર્સી કોઈ ક્રિકેટરને નહીં મળે, જાણો વિગતે
1/4

ICCના નિર્દેશો અનુસાર, કોઈ એક નંબરને રિટાયર કરવાની અનુમતિ નથી અને ક્રિકેટની વૈશ્વિક સંસ્થા પાસેથી આવું કરવા માટેની અનુમતિ લેવાની પણ કોઈ જોગવાઈ નથી. તેથી BCCI બિનઆધિકારિકરીતે આ નંબરની જર્સીને રિટાયર કરશે. નિયમો પ્રમાણે, BCCIને કોઈ જર્સી રિટાયર કરવા માટે ICC પાસે જવું પડશે. આવામાં ટીમના સદસ્યોને અનૌપચારિકપણે કહી દેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મેચોમાં આ નંબરની જર્સી નહીં પહેરી શકાય.
2/4

થોડાક મહિના પહેલા મુંબઈના પેસર શાર્દુલ ઠાકુરે ભારત-શ્રીલંકા વનડે સીરીઝમાં આ નંબરની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરીને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં એક મેચ રમી હતી જે બાદ સોશિયલ મીડિયા પર તેમની અને BCCIની ટીકા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને અપીલ કરી કે તેઓ ફરીવાર આ જર્સી પહેરીને મેદાન પર ન આવે. હવે આ રીતના કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લઈ લીધો છે.
Published at : 30 Nov 2017 07:46 AM (IST)
View More























