શોધખોળ કરો
વડોદરાઃ છૂટાછેડાના 20 દિવસ પછી યુવકે કેમ કરી નાંખી પત્નીની હત્યા, જાણો શું હતું કારણ?
1/5

વડોદરા: ભાયલીમાં પૂર્વ પત્નીની હત્યા કર્યા પછી યુવકે પણ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંનેએ હજુ 20 દિવસ પહેલા જ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી યુવક ઘરે સામાન લેવા આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે ઝઘડો થતા યુવકે પૂર્વ પત્નીની હત્યા કરી નાંખી હતી અને આ પછી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને તેણે પણ આપઘાત કરી લીધો હતો.
2/5

ઉશ્કેરાયેલા પતિએ રસોડામાંથી દસ્તો લઈને પત્નીના માથા પર ઉપરાછાપરી ઘા ઝીંકતા પત્નીનું મોત નીપજ્યું હતું. જોકે, આ ઘટનાની ગણતરીની જ મિનિટોમાં મનિષે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. પોલીસને યુવતીની હત્યા માટે વપરાયેલો દસ્તો મળી આવ્યો છે. પાડોશીઓએ પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
Published at : 25 Jan 2019 09:43 AM (IST)
View More





















