(Source: Poll of Polls)
Harsh Sanghavi's Warning: અસામાજિક તત્વોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી
ગાંધીનગરના બહિયલમાં તોફાની તત્વો વિરૂદ્ધ હજુ પણ થશે કડક કાર્યવાહી. નવરાત્રિમાં આતંક મચાવનારાઓની ગાંધીનગર પોલીસ તપાસશે ક્રાઈમકુંડળી.. તેમની આવકનો સ્ત્રોત શું છે.. તોફાની તત્વોની ક્યાંથી આવક થઈ રહી છે તેની પોલીસ તપાસ કરશે. સોશલ મીડિયા પોસ્ટને લઈને ત્રીજા નોરતે બહિયલમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. પથ્થરમારો, પોલીસ પર હુમલો, ચારથી વધુ દુકાનોમાં આગચંપી કરીને તોફાની તત્વોએ બહિયલને બાનમાં લીધુ હતુ. જો કે બાદમાં ગાંધીનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઘરના દરવાજા તોડીને તોફાની તત્વોને ઝડપી પાડ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તોફાની તત્વો બીજી વાર પથ્થર તરફ નજર પણ ન કરી શકે તેવી કાર્યવાહી કરવામાં આવી છે..
















