ઈમરાન વડાપ્રધાન બનશે એ નક્કી થતાં એવી અટકળો તેજ બની હતી કે, સચિન તેંડુલકર સહિતના ભારતના ક્રિકેટરોને નિમંત્રણ મળશે. જો કે ઈમરાને માત્ર પોતાના સમયમાં રમનારા ત્રણ ક્રિકેટરોને જ નિમંત્રણ આપીને એ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. બોલીવુડમાંથી પણ તેણે માત્ર આમીર ખાનને પસંદ કર્યો છે.
2/3
PTIના પ્રવક્તા ફવાદ ચૌધરીએ આ માહિતી આપતાં કહ્યું કે, ઇમરાનની તાજપોશી માટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કર, કપિલ દેવ તથા નવજોત સિંહ સિદ્ધૂને નિમંત્રણ અપાયું છે. આ ઉપરાંત બોલીવુડ અભિનેતા આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
3/3
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી ઇમરાન ખાનની તાજપોશીને યાદગાર બનાવવા માટે ભારતના ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.