શોધખોળ કરો
ઈમરાન ખાનની શપથવિધીમાં ક્યા 3 ક્રિકેટરો અને બોલીવુડના સુપરસ્ટારને મળ્યું નિમંત્રણ ? સચિનને આમંત્રણ નહીં
1/3

ઈમરાન વડાપ્રધાન બનશે એ નક્કી થતાં એવી અટકળો તેજ બની હતી કે, સચિન તેંડુલકર સહિતના ભારતના ક્રિકેટરોને નિમંત્રણ મળશે. જો કે ઈમરાને માત્ર પોતાના સમયમાં રમનારા ત્રણ ક્રિકેટરોને જ નિમંત્રણ આપીને એ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. બોલીવુડમાંથી પણ તેણે માત્ર આમીર ખાનને પસંદ કર્યો છે.
2/3

PTIના પ્રવક્તા ફવાદ ચૌધરીએ આ માહિતી આપતાં કહ્યું કે, ઇમરાનની તાજપોશી માટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કર, કપિલ દેવ તથા નવજોત સિંહ સિદ્ધૂને નિમંત્રણ અપાયું છે. આ ઉપરાંત બોલીવુડ અભિનેતા આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
Published at : 02 Aug 2018 10:08 AM (IST)
View More





















