શોધખોળ કરો
અમદાવાદમાં તોગડિયાના ઉપવાસ શરૂઃ દેખો દેખો કોન આયા...ના લાગ્યા નારા
1/4

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદની ચૂંટણીમાં હાર બાદ પ્રવીણ તોગડિયાએ અનશન પર બેસવાની જાહેરાત કરી હતી. હાલ પ્રવીણ તોગડિયાએ અમદાવાદ સ્થિત વણીકર ભવન ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકરો અને સાધૂ-સંતો પણ જોડાયા છે. તોગડિયાએ ભગવાન રામને પૂજા-અર્ચન કરી ઉપવાસ શરૂ કર્યા છે.
2/4

તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સંસદમાં રામ મંદિર અને ગૌ હત્યા મુદ્દે કાયદો બને તેવો મારો સંકલ્પ છે. સૈનિકો અને ખેડૂતોની આત્મહત્યા પર તોગડિયાએ કહ્યું હતું કે દેશની સરહદ પર સૈનિકો સુરક્ષિત નથી અને ખેડૂતો ખેતરમાં આત્મહત્યા કરી રહ્યા છે.
Published at : 17 Apr 2018 08:59 AM (IST)
View More






















