શોધખોળ કરો

Crime News: મહીસાગરમાં હત્યા કરી આધેડનો મૃતદેહ ફેંકી દેવાયો, હત્યાનું કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્મમ હત્યા કરી અને સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો.

મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્મમ હત્યા કરી અને સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો.  આ બાબતે સંતરામપુર પોલીસ મથકમાં મૃતક સોમાભાઈ ખાટના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી.  જેના આધારે સંતરામપુર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.  મોંઢા ઉપર તીક્ષણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી અને મોત નીપજાવ્યું હોય તેવી વિગતો સામે આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી FSL ની મદદથી આ હત્યાના ગુનાને 24 કલાકમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ હત્યાનું કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પાણી વાળવા બાબતે થયેલ ઝઘડો તેમજ મૃતકની ડોટર ઇનલો ઉપર ખરાબ નજર રાખવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી અને આરોપી અરજણભાઈ ખાંટએ હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો

સમગ્ર બનાવની વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથક વિસ્તારમાં કાળીબેલ ગામે ચોળાફળિયા વિસ્તારમાં સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.  મોંઢા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી અને હત્યા કરવામાં આવી હતી. સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સની મદદથી તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી ધરવામાં આવી હતી.  24 કલાકની અંદર જ પોલીસ દ્વારા મૃતક સોમાભાઈ ખાંટના હત્યારા અરજણભાઈ ખાંટને ઝડપી પાડવામાં આવ્યો છે. 

પોલીસ દ્વારા ગણતરીના 24 કલાકમાં જ હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો

જૂની અદાવત રાખી અને હત્યા કરી હોય તેવી હાલ તો વિગતો સામે આવી છે.  પહેલા પણ આરોપી અને મૃતક વચ્ચે ઝઘડા થયા હતા જેની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી. મૃતક સોમાભાઈ ખાંટની હત્યા કર્યા બાદ આરોપીએ મૃતકના મોબાઈલનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો જે મોબાઈલના અવશેષો પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. મૃતકની જે સાયકલ હતી તે પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી. મહીસાગર પોલીસ દ્વારા ગણતરીના 24 કલાકમાં જ હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

કરપીણ રીતે હત્યા કરવામાં આવી હતી

30 જાન્યુઆરીના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનના કાળીબેલ ગામે ચોળાફળી વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી જેમાં સવારે 7 વાગ્યાના પહેલાના સમયમાં સોમાભાઈ ખાંટ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ જોતા કરપીણ રીતે હત્યા કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું ચહેરા પર ગંભીર ઇજાના નિશાનો હતા સંતરામપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં તપાસ કરવામાં આવી હતી.  અલગ-અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન સોર્સ તેમાં ટેકનિકલ સોર્સની મદદથી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામ લોકોની પૂછપરછ કરવામાં આવતા  એફએસએલની પણ મદદ લેવામાં આવી અને સમગ્ર તપાસને અંતે 24 કલાકમાં આ ગુનાનો ભેદ ઉકેલ આવ્યો હતો.  


ચાર દિવસ પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો

ઘટના એવી બની હતી કે પડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે અરજણભાઈ ખાંટ જે મુખ્ય આરોપી છે.  ગુનાનો તેણે કોઈ તીક્ષણ હથિયાર કે જે ધાર્યું છે તેના વડે મોંઢા ઉપર મારી અને હત્યા કરી હતી આ માટેનું મુખ્ય કારણ એ હતું કે જૂની અદાવત હતી ત્રણ ચાર દિવસ પહેલા તેમની વચ્ચે ઝઘડો થયેલો હતો.  બોરના પાણી બાબતે ઝઘડો થયો હતો. બીજું એક કારણ એ પણ હતું કે મરણ જનાર છે તેમના ડોટર ઇન લો છે તેમની ઉપર પણ આમની નજર ખરાબ હતી.  જેના કારણે પણ અગાઉ ગાળા ગાળી થયેલી હતી.  આ વસ્તુની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી છે.  પોલીસે અટકાયત કર્યા બાદ બધી વસ્તુઓની રિકવરી કરેલ છે. હથિયાર પણ મળી આવેલું છે. મરણ જનાર જે છે તે મોબાઈલ યુઝ કરતા હતા તે મોબાઈલ પણ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.  જેના અવશેષો પણ પોલીસે રિકવર કર્યા. મૃતકની ફેંકી દીધેલી સાયકલ પણ રિકવર કરાઈ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget