શોધખોળ કરો

Crime News: મહીસાગરમાં હત્યા કરી આધેડનો મૃતદેહ ફેંકી દેવાયો, હત્યાનું કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્મમ હત્યા કરી અને સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો.

મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્મમ હત્યા કરી અને સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો.  આ બાબતે સંતરામપુર પોલીસ મથકમાં મૃતક સોમાભાઈ ખાટના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી.  જેના આધારે સંતરામપુર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.  મોંઢા ઉપર તીક્ષણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી અને મોત નીપજાવ્યું હોય તેવી વિગતો સામે આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી FSL ની મદદથી આ હત્યાના ગુનાને 24 કલાકમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ હત્યાનું કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પાણી વાળવા બાબતે થયેલ ઝઘડો તેમજ મૃતકની ડોટર ઇનલો ઉપર ખરાબ નજર રાખવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી અને આરોપી અરજણભાઈ ખાંટએ હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો

સમગ્ર બનાવની વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથક વિસ્તારમાં કાળીબેલ ગામે ચોળાફળિયા વિસ્તારમાં સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.  મોંઢા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી અને હત્યા કરવામાં આવી હતી. સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સની મદદથી તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી ધરવામાં આવી હતી.  24 કલાકની અંદર જ પોલીસ દ્વારા મૃતક સોમાભાઈ ખાંટના હત્યારા અરજણભાઈ ખાંટને ઝડપી પાડવામાં આવ્યો છે. 

પોલીસ દ્વારા ગણતરીના 24 કલાકમાં જ હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો

જૂની અદાવત રાખી અને હત્યા કરી હોય તેવી હાલ તો વિગતો સામે આવી છે.  પહેલા પણ આરોપી અને મૃતક વચ્ચે ઝઘડા થયા હતા જેની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી. મૃતક સોમાભાઈ ખાંટની હત્યા કર્યા બાદ આરોપીએ મૃતકના મોબાઈલનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો જે મોબાઈલના અવશેષો પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. મૃતકની જે સાયકલ હતી તે પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી. મહીસાગર પોલીસ દ્વારા ગણતરીના 24 કલાકમાં જ હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

કરપીણ રીતે હત્યા કરવામાં આવી હતી

30 જાન્યુઆરીના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનના કાળીબેલ ગામે ચોળાફળી વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી જેમાં સવારે 7 વાગ્યાના પહેલાના સમયમાં સોમાભાઈ ખાંટ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ જોતા કરપીણ રીતે હત્યા કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું ચહેરા પર ગંભીર ઇજાના નિશાનો હતા સંતરામપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં તપાસ કરવામાં આવી હતી.  અલગ-અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન સોર્સ તેમાં ટેકનિકલ સોર્સની મદદથી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામ લોકોની પૂછપરછ કરવામાં આવતા  એફએસએલની પણ મદદ લેવામાં આવી અને સમગ્ર તપાસને અંતે 24 કલાકમાં આ ગુનાનો ભેદ ઉકેલ આવ્યો હતો.  


ચાર દિવસ પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો

ઘટના એવી બની હતી કે પડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે અરજણભાઈ ખાંટ જે મુખ્ય આરોપી છે.  ગુનાનો તેણે કોઈ તીક્ષણ હથિયાર કે જે ધાર્યું છે તેના વડે મોંઢા ઉપર મારી અને હત્યા કરી હતી આ માટેનું મુખ્ય કારણ એ હતું કે જૂની અદાવત હતી ત્રણ ચાર દિવસ પહેલા તેમની વચ્ચે ઝઘડો થયેલો હતો.  બોરના પાણી બાબતે ઝઘડો થયો હતો. બીજું એક કારણ એ પણ હતું કે મરણ જનાર છે તેમના ડોટર ઇન લો છે તેમની ઉપર પણ આમની નજર ખરાબ હતી.  જેના કારણે પણ અગાઉ ગાળા ગાળી થયેલી હતી.  આ વસ્તુની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી છે.  પોલીસે અટકાયત કર્યા બાદ બધી વસ્તુઓની રિકવરી કરેલ છે. હથિયાર પણ મળી આવેલું છે. મરણ જનાર જે છે તે મોબાઈલ યુઝ કરતા હતા તે મોબાઈલ પણ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.  જેના અવશેષો પણ પોલીસે રિકવર કર્યા. મૃતકની ફેંકી દીધેલી સાયકલ પણ રિકવર કરાઈ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget