શોધખોળ કરો

Surendranagar : યુવકને ગળે ટુંપો દઈ હત્યા કરી નાંખી હોવાનો પરિવારનો દાવો, કોને હત્યા કરી હોવાની વ્યક્ત કરી શંકા?

દરવાજો ન ખુલતા દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ત્યાં જઈને જોતા દશરથનું મોઢું કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલું હતું. તેમજ તેનું શરીર પણ સૂન પડેલું હતું. આથી તેમણે પોલીસને જાણ કરી હતી.

સુરેન્દ્રનગરઃ ચુડાના ખાંડિયા ગામે યુવાનનું રહસ્યમય રીતે મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બીજી તરફ પરિવારે પુત્રે આત્મહત્યા નહીં, પરંતુ તેની ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ખાંડિયાનો જીવાભાઈ મેળજીયાનો પરિવાર બહારગામ ગયો હતો. દરમિયાન મંગળવારે જીવાભાઈનો દિવ્યાંગ પુત્ર દશરથ મેળજીયા પોતાના ઘરે સૂતો હતો. બીજા દિવસે કૌટુંબિક ભાઈ રામદેવ મેળજીયા પરિવાર સાથે ગયા હતા. તેમજ દશરથનું ઘર ખખડાવ્યું હતું. પરંતુ દરવાજો ન ખુલતા દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ત્યાં જઈને જોતા દશરથનું મોઢું કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલું હતું. તેમજ તેનું શરીર પણ સૂન પડેલું હતું. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરતાં  ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઈ હતી.

બીજી તરફ પરિવારના સભ્ય દ્વારા આક્ષેપ કરાયો હતો કે, અમારા પરિવાર સાથે રાજુ નાગર સાકરિયા, વિક્રમ નાગર સાકરિયા અને તેનો પરિવાર વર્ષોથી કોઈને કોઈ બાબતે ઝઘડો કર્યાં કરે છે. 6 વર્ષ પહેલા મારા ભાઈ ભરત મેળજીયાની હત્યા રાજુ, વિક્રમ સાકરીયાએ કરી હતી. આ સિવાય ચાર વર્ષ પહેલા દશરથના ભાઈ જગદીશનું પણ અપમૃત્યુ થયું હતું. તેને પણ આત્મહત્યામાં ખપાવી દેવાયું હતું. એટલું જ નહીં તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, મારા દાદા ભાવુભાઈ ઉપર પણ રાજુ તેની પત્ની અને તેની માતાએ ધારિયાનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો. આ સાથે દશરથ ક્યારેય આપઘાત ન કરે તેવો દાવો પણ કર્યો હતો. તેમજ તેમણે હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget