શોધખોળ કરો

CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી

Class 12 Result Rechecking: CBSEના 12મા ધોરણના વિદ્યાર્થીઓને 2026ના પરિણામો પછી મહત્વપૂર્ણ અને આશ્વાસન આપનારા સમાચાર મળ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CBSE 12મા ધોરણના પરિણામો પછી ઉત્તરવહીઓની સમીક્ષાની સુવિધા આપી રહ્યું છે.
  • વિદ્યાર્થીઓ 19-22 મે દરમિયાન ઉત્તરવહીની નકલ માટે અરજી કરી શકશે.
  • 26-29 મે દરમિયાન ગુણ પુનઃમૂલ્યાંકન અને સુધારણા માટે અરજી થશે.
  • આ પ્રક્રિયા પારદર્શિતા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો માટે છે.

Class 12 Result Rechecking: CBSEના 12મા ધોરણના વિદ્યાર્થીઓને 2026ના પરિણામો પછી મહત્વપૂર્ણ અને આશ્વાસન આપનારા સમાચાર મળ્યા છે. જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી અસંતુષ્ટ છે અથવા તેમની ઉત્તરવહીમાં ભૂલની શંકા છે તેઓ હવે તેમની ઉત્તરવહીઓની સમીક્ષા કરી શકે છે. CBSE એ પરિણામ પછીની પ્રક્રિયા શરૂ કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાના ગુણની સમીક્ષા કરી શકે છે અને જો જરૂરી હોય તો સુધારા કરી શકે છે. રિઝલ્ટ આવ્યાના થોડા દિવસો પછી આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને અસુવિધા ઓછી થાય અને પારદર્શિતા જળવાઈ રહે. બોર્ડે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં યોગ્ય નિર્ણય લેવાનો છે. 

CBSE એ જણાવ્યું હતું કે ભૂલો થઈ શકે છે, પરંતુ તે સુધારવામાં આવશે.

CBSEના કન્ટ્રોલ ઓફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે બોર્ડ સંપૂર્ણ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કાર્ય કરે છે. તેમણે જણાવ્યું હતું કે આશરે 1.25 કરોડ ઉત્તરવહીઓ તપાસવામાં આવે છે, તેથી ભૂલો થવાની શક્યતા રહે છે. જો કે, જો કોઈ ભૂલો મળી આવે છે તો તેને તાત્કાલિક સુધારવામાં આવે છે. CBSEનું માનવું છે કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સમીક્ષા કરવા અને કોઈપણ ખોટા માર્કિંગને સુધારવા માટે પૂરતી તક આપવી જોઈએ. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેવી રીતે અરજી કરવી

સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. સૌપ્રથમ CBSEની સત્તાવાર વેબસાઇટ, cbse.gov.in ની મુલાકાત લો. હોમપેજ પર મુખ્ય જાહેરાત વિભાગમાં "Post Result Services 2026" અથવા "Apply for Photocopy/Verification" લિંક પર ક્લિક કરો. તમે સીધા જ સત્તાવાર રિચેકિંગ પોર્ટલ, cbseit.in પર પણ જઈ શકો છો.

સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે

આ વખતે CBSE એ સમગ્ર પ્રક્રિયાને બે તબક્કામાં વિભાજીત કરી છે. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ તેમની રિક્વેક કરેલી ઉત્તરવહીઓની નકલ માટે અરજી કરી શકે છે. આ વિન્ડો 19 મેના રોજ ખુલશે અને 22 મે સુધી ચાલુ રહેશે. આ પછી વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલ આપવામાં આવશે, જેની તેઓ કાળજીપૂર્વક સમીક્ષા કરી શકે છે. વિદ્યાર્થીઓ માર્કિંગ સ્કીમ સામે દરેક જવાબ ચકાસી શકે છે અને તેમને મળેલી કોઈપણ ભૂલો નોંધી શકે છે.

આ પણ વાંચોઃ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર

માર્ક્સ રિવ્યૂ અને સુધારણા કરવાની છેલ્લી તક

બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ તેમના ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે અરજી કરી શકે છે. આ વિન્ડો 26 મે થી 29 મે સુધી ખુલ્લી રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને લાગે છે કે તેમની ઉત્તરવહીમાં ભૂલ છે, તો તેઓ વાંધો નોંધાવી શકે છે. CBSE એ જણાવ્યું છે કે જો નિષ્ણાતોની ટીમ દ્વારા કોઈ ભૂલની પુષ્ટી થાય છે, તો તેને તાત્કાલિક સુધારી લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓને ન્યાય આપવા અને તેમની મહેનતનું ખરેખર મૂલ્ય થાય તે સુનિશ્ચિત કરવા માટે છે. આનાથી વિદ્યાર્થીઓને રાહત તો મળશે જ, પરંતુ બોર્ડમાં તેમનો વિશ્વાસ પણ મજબૂત થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

CBSE 12મા ધોરણના પરિણામો પછી વિદ્યાર્થીઓ માટે શું સુવિધા ઉપલબ્ધ છે?

CBSE 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી અસંતુષ્ટ છે તેઓ પોતાની ઉત્તરવહીઓની સમીક્ષા કરી શકે છે અને જરૂર પડે તો તેમાં સુધારા કરાવી શકે છે.

ઉત્તરવહીની સમીક્ષા માટે કેવી રીતે અરજી કરવી?

વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અથવા રિચેકિંગ પોર્ટલ cbseit.in પર જઈને પોસ્ટ રિઝલ્ટ સર્વિસિસ માટે અરજી કરી શકે છે.

ઉત્તરવહીની સમીક્ષા પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે?

સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: પ્રથમ તબક્કામાં ઉત્તરવહીની નકલ મેળવવા અને બીજા તબક્કામાં ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે અરજી કરવાની રહેશે.

ઉત્તરવહીની નકલ મેળવવા માટેની અરજી ક્યારે કરી શકાય?

ઉત્તરવહીની નકલ માટે અરજી કરવાની વિન્ડો 19 મેથી 22 મે સુધી ખુલ્લી રહેશે, ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કેન કરેલી નકલ મળશે.

ગુણના પુનઃમૂલ્યાંકન અને સુધારણા માટે અરજી ક્યારે કરી શકાય?

ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટેની અરજી 26 મેથી 29 મે સુધી કરી શકાશે, જેમાં ભૂલ જણાય તો વાંધો નોંધાવી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી
CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ | ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અસહ્ય ગરમીથી રાહત ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનો નશો
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?
'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર
8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો
8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
સોના-ચાંદીના ભાવ આસમાને: સોનું ₹6540 અને ચાંદી ₹5000 મોંઘી થતાં હાહાકાર! ખરીદતા પહેલાં લેટેસ્ટ રેટ જાણો!
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
Embed widget