શોધખોળ કરો

Sales Tax Case: અનુષ્કા શર્માએ સેલ્સ ટેક્સ મામલે ખખડાવ્યો HCનો દરવાજો, કોર્ટે વિભાગ પાસેથી માંગ્યો જવાબ

Anushka Sharma Sales Tax Case: અનુષ્કા શર્માએ સેલ્સ ટેક્સ કેસમાં અરજી દાખલ કરી છે.  જેના સંદર્ભમાં કોર્ટે સેલ્સ ટેક્સ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.

Anushka Sharma Sales Tax Case: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma) મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) એક્ટ હેઠળ નાણાકીય વર્ષ 2012-13 અને 2013-14 માટે ડેપ્યુટી કમિશનર ઓફ સેલ્સ ટેક્સ (Sales Tax) દ્વારા પસાર કરાયેલા બે આદેશોને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યા છે. આ મામલે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ટેક્સ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.

કોર્ટે સેલ્સ ટેક્સ વિભાગ પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે

જસ્ટિસ નીતિન એમ જામદાર અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેન્ચે ગુરુવારે સેલ્સ ટેક્સ (Sales Tax) વિભાગને અભિનેત્રી અનુષ્કા શર્માની(Anushka Sharma) અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો અને આ મામલાની વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ રાખી હતી. એક્ટ્રેસ અનુષ્કા શર્માએ (Anushka Sharma) હાઈકોર્ટને સેલ્સ ટેક્સ (Sales Tax) ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને રદ્દ કરવા વિનંતી કરી છે. તેણે આકારણી વર્ષ 2012-13, 2013-14, 2014-15 અને 2015-16 માટે ચાર અરજીઓ દાખલ કરી છે.

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ગયા અઠવાડિયે અરજી દાખલ કરી હતી

ડિસેમ્બર 2022માં સેલ્સ ટેક્સ વિભાગના આદેશોને પડકારતી શર્માના ટેક્સ કન્સલ્ટન્ટ શ્રીકાંત વેલેકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને હાઇકોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યા પછી બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)‌ એ ગયા અઠવાડિયે અરજી દાખલ કરી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે એવું કોઈ કારણ નથી કે અસરગ્રસ્ત વ્યક્તિ (અનુષ્કા શર્મા) પોતે અરજી ન કરી શકે.

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સેલ્સ ટેક્સ અંગે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની(Anushka Sharma)અરજી અનુસાર તેણે કરાર હેઠળ કલાકાર તરીકે ફિલ્મો અને એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું. કરાર તેમના એજન્ટ યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ અને નિર્માતાઓ/ઇવેન્ટ આયોજકો વચ્ચે થયો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીએ ફિલ્મને ધ્યાનમાં રાખીને સેલ્સ ટેક્સ લગાવ્યો નથી.  પરંતુ પ્રોડક્ટની જાહેરાત અને એવોર્ડ ફંક્શનમાં કરવામાં આવેલા પરફોર્મન્સના આધારે લગાવ્યો છે. વિભાગે 2012-13 માટે રૂ. 12.3 કરોડ રૂપિયા પર 1.2 કરોડના વ્યાજ સહિત વેરો નક્કી કર્યો છે. જ્યારે વર્ષ 2013-14 માટે લગભગ 17 કરોડ રૂપિયા પર રૂ. 1.6 કરોડ રૂપિયા સેલ્સ ટેક્સ નક્કી કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget