શોધખોળ કરો

The Kerala Story BO Day 9: 'ધ કેરલા સ્ટોરી'એ બીજા શનિવારે કરી છપ્પડ ફાડ કમાણી, 100 કરોડ ક્લબમાં સામેલ

The Kerala Story Box Office:'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે નવમા દિવસે પણ ઘણી કમાણી કરી છે અને આ સાથે તેણે 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

The Kerala Story BO Day 9: તમામ વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં 'ધ કેરળ સ્ટોરી' બોક્સ ઓફિસ પર તેની પકડ મજબૂત બનાવી રહી છે અને જોરદાર બિઝનેસ પણ કરી રહી છે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની ભવ્ય શરૂઆત થઈ હતી અને ત્યારથી આ ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. ઓપનિંગ વીકએન્ડમાં મોટો સ્કોર કર્યા બાદ ફિલ્મ બીજા સપ્તાહમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ચાલો અહીં જાણીએ કે 'ધ કેરળ સ્ટોરી'એ તેની રિલીઝના 9મા દિવસે એટલે કે બીજા શનિવારે કેટલું કલેક્શન કર્યું છે.

'ધ કેરળ સ્ટોરી' 9મા દિવસે કેટલી કમાણી કરી?

અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની ઓપનિંગ સારી રહી હતી અને ત્યારથી તેનું કલેક્શન દરરોજ વધી રહ્યું છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં જોરદાર ઓડિયન્સ મળી રહ્યું છે. જેના કારણે ફિલ્મે એક સપ્તાહમાં જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. તે જ સમયે, 'ધ કેરલા સ્ટોરી' રિલીઝના 9માં દિવસે એટલે કે બીજા શનિવારની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.

Sacnilkના અહેવાલ મુજબ, 'ધ કેરલા સ્ટોરી' એ શનિવારે પણ સારો બિઝનેસ કર્યો અને બોક્સ ઓફિસ પર 19.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 112.87 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ફિલ્મે તેના બીજા વિકેન્ડ પર 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

કેરળ સ્ટોરી સદી ફટકારનારી આ વર્ષની ચોથી ફિલ્મ

અદા શર્મા સ્ટારર 'ધ કેરાલા સ્ટોરી' શાહરૂખ ખાનની 'પઠાણ', રણબીર કપૂરની 'તુ જૂઠી મેં મક્કાર' અને સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન' પછી 2023માં સદી ફટકારનારી ત્રીજી હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મ 40 કરોડના બજેટમાં બની હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

શું છે 'ધ કેરળ સ્ટોરી'ની વાર્તા?

સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને લખાયેલ, 'ધ કેરળ સ્ટોરી' લગભગ 3 બિન-મુસ્લિમ મહિલાઓની છે જેમને આતંકવાદી સંગઠન ISISમાં જોડાવા માટે બ્રેઈનવોશ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અદા શર્મા ઉપરાંત યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની પણ છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget