શોધખોળ કરો
મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ, લોકસભા ચૂંટણીમાં હું સક્રિય રહીશઃ શંકરસિંહ વાઘેલા
1/4

ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ. હાલની સ્થિતિ માટે PM મોદી જ જવાબદાર છે. રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. તેમણે દેશ અને રાજ્યની જનતાને આપેલા વાયદાનો હિસાબ આપવો જોઈએ.
2/4

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ત્રીજા મોરચા જેવું કશું હોતુ નથીભાજપ સામે ત્રીજો અને પણ બીજો મોરચો બનવો જોઇએ. લોકસભાની ચૂંટણીમાં સક્રિય રહીશ. યોજનાઓના માત્ર નામ બદલી નખાયા છે. ભાજપના તમામ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. હું 2019માં ભાજપની સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું. હું ઘર વાપસીની શોધમાં નથી. હું મારા ઠેકાણે જ છું.
Published at : 18 Sep 2018 06:28 PM (IST)
View More





















