અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પક્ષો દ્વારા ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં સત્તામાં ભાજપ સાથે સાથીપક્ષ હોવા છતાં હંમેશા વિરોધપક્ષી ભૂમિકા ભજવનાર શિવસેનાએ હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી ભાજપના મત કાપવાનો વ્યૂહ રચના ઘડી કાઢી છે.
ચૂંટણી પંચના નિયમો પ્રમાણે પક્ષના ઉમેદવારોનો પ્રચાર કરવા જનારા નેતાઓની યાદી પણ ચૂંટણી પંચને સુપરત કરવી પડે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે સહિત કુલ 20 નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
8/8
શિવસેનાએ ગુજરાત વિધાનસભાની 28 બેઠકો પર ચૂંટણી લડનારા તેના ઉમેદવારોની યાદી બહાર પાડી છે. શિવસેનાના પ્રવક્તા હેમરાજ શાહે ગુજરાતમાં શિવસેનાના ઉમેદવારોનો પ્રચાર કરવા જનારા શિવસેનાના નેતાઓની યાદી પણ બહાર પાડી હતી. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ શિવસેનાના નેતાઓ પ્રચાર કરશે.