શોધખોળ કરો
આમરણાંત ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક અશક્ત, ઉઠીને ચાલવા જતાં લથડી પડ્યો, જાણો વિગત
1/4

હાર્દિકના ઉપવાસના સમર્થનમાં ચોથા દિવસે એનસીપીના પ્રફૂલ પટેલ તેના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. તેમણે સરકારને આડેહાથ લઈ જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણીમાં ગોળી સરકારના કાન પાસેથી નીકળી ગઈ છતાં સમજી નથી. હાર્દિક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જોઈએ.
2/4

સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મંગળવારે હાર્દિકની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ ડોક્ટરે કહ્યું કે, જો હાર્દિક ફ્રૂટ કે જ્યુસ નહીં લે તો તેની કિડનીને નુકસાન થઈ શકે છે. યુરિનના સેમ્પલને આધારે ડોક્ટરે તેને હોસ્પિટલાઈઝ્ડ થવાની સલાહ આપી હતી. મેડિકલ તપાસ દરમિયાન હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર 99 આવ્યું હતું. તેને 78 પલ્સ ,120/84 બ્લડ પ્રેસર છે, જ્યારે વજન 74.6 કિગ્રા હતા. યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેને લિક્વિડ વધારે લેવાની સલાહ આપવામાં આવી હતી.
Published at : 29 Aug 2018 10:12 AM (IST)
View More





















