![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
માંસ ખાનારા બેક્ટેરિયાથી ભારતને કેટલો છે ખતરો, શરીરમાં કેવી રીતે કરે છે પ્રવેશ?
કોવિડ વાયરસ બાદ ફરી એકવાર નવા બેક્ટીરિયાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં જાપાન એક દુર્લભ રોગ સામે ઝઝૂમી રહ્યું છે.
![માંસ ખાનારા બેક્ટેરિયાથી ભારતને કેટલો છે ખતરો, શરીરમાં કેવી રીતે કરે છે પ્રવેશ? Deadly flesh eating bacteria outbreak sweeps Japan માંસ ખાનારા બેક્ટેરિયાથી ભારતને કેટલો છે ખતરો, શરીરમાં કેવી રીતે કરે છે પ્રવેશ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/1bfadd21cf314f2b48104358297e9cc5171859615563374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોવિડ વાયરસ બાદ ફરી એકવાર નવા બેક્ટીરિયાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં જાપાન એક દુર્લભ રોગ સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (STSS) નામ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ રોગનું કારણ માંસ ખાનાર બેક્ટીરિયા છે. આજે અમે તમને જણાવીશું કે STSS કેટલું ખતરનાક છે અને ભારતમાં તેની અસર શું છે.
આ બેક્ટીરિયા શું છે?
જાપાનમાં જે બેક્ટીરિયાના કારણે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (STSS) ફેલાઇ રહ્યો છે તેના વિશે ઘણા લાંબા સમયથી જાણકારી છે. આ બેક્ટીરિયાને સ્ટ્રેપ્ટોકોકસ કહેવામાં આવે છે. નોંધનીય છે કે તેના બે વેરિઅન્ટ અથવા ટાઇપ છે. પ્રથમ ગ્રુપ-એ સ્ટ્રેપ્ટોકોકસ અને બીજું ગ્રુપ-બી સ્ટ્રેપ્ટોકોકસ છે. જો આપણને શરદી, ઉધરસ, તાવ અથવા ગળામાં દુખાવો થાય છે, તો તેમાં ગ્રુપ-એ સ્ટ્રેપ્ટોકોકસ રિપોર્ટ કરવામાં આવે છે.
ક્યારેક તે જાતે જ ઠીક થઈ જાય છે તો ક્યારેક એન્ટિબાયોટિક્સ લેવી પડે છે. બીજી તરફ ગ્રુપ-બી સ્ટ્રેપ્ટોકોકસ છે, તેને હાનિકારક માનવામાં આવતું નથી. જો કે, ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસની કેટલાક સ્ટ્રેન્સ ક્યારેક ખૂબ જ ખતરનાક બની જાય છે. આ કિસ્સામાં તેમને ઇન્વેસિસ ગ્રુપ-એ સ્ટ્રેપ્ટોકોકસ કહેવામાં આવે છે. તે જે સ્થિતિનું કારણ બને છે તેને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ કહેવાય છે. હાલમાં આ રોગ માત્ર જાપાનમાં જ ફેલાઈ રહ્યો છે.
માંસ ખાનારા બેક્ટીરિયા?
શું ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટીરિયા ખરેખર માનવ માંસ ખાય છે? મળતી માહિતી મુજબ, આ બેક્ટીરિયાને માંસ ખાનાર કહેવામાં આવે છે. જો કે તે સીધું માંસ ખાતું નથી, પરંતુ માનવ પેશીઓને મારી નાખે છે. તેથી જ તેને Flesh-Eating કહેવામાં આવે છે. જ્યારે ગ્રુપ-એ સ્ટ્રેપ્ટોકોકસ (જીએએસ) પેશીને મારી નાખે છે, ત્યારે આ સ્થિતિને નેક્રોટાઇઝિંગ ફસાઇટિસ કહેવાય છે.
આ બેક્ટીરિયા કેવી રીતે ફેલાય છે?
ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટીરિયા એવા લોકોમાં ઝડપથી ફેલાય છે જેમને ઘા અથવા ખુલ્લા ઘા હોય છે. ચેપ પછી આ બેક્ટીરિયા ઘામાં એક પ્રકારનું ઝેર છોડે છે. જ્યારે ઝેર બહાર નીકળી જાય છે, ત્યારે તે સ્નાયુઓ, રક્તવાહિનીઓ અને નર્વ્સ નાશ કરવાનું શરૂ કરે છે. આ ઝેર એટલું ખતરનાક છે કે ઘા અથવા ઇન્ફેક્શનવાળા એરિયા સડવા લાગે છે.
ગ્રુપ-એ સ્ટ્રેપ્ટોકોકસના કારણે જે ટોક્સિન રીલિઝ થાય છે તે ડીપ જઇને બ્લડ સર્કુલેશનમાં આવે છે. પછી ત્યારે ટોક્સિક સિડ્રોમની સ્થિતિ પેદા થાય છે. જેને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ કહેવામાં આવે છે. યોગ્ય સારવારના અભાવે 48 કલાકમાં મૃત્યુ થઈ શકે છે.
ભારતમાં કેટલું જોખમ છે?
માહિતી અનુસાર, ભારતમાં સામાન્ય રીતે 5 થી 15 વર્ષની વયના બાળકો ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસથી પ્રભાવિત થાય છે. જો કે, અહીં તે એટલું ગંભીર નથી કે તે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમનું સ્વરૂપ લેશે. ભારતમાં હજુ સુધી આ બેક્ટીરિયાનો કોઈ કેસ નોંધાયો નથી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)