શોધખોળ કરો

Health Tips: કોફી, જ્યૂસ સાથે કરો છો દિવસની શરુઆત,  ખાલી પેટ આ વસ્તુઓ કરશે નુકસાન

સવારની શરૂઆત ચાની ચૂસકી સાથે કરવું તમામ લોકોને પસંદ હોય છે.  ચા પીધા બાદ લોકો નાસ્તો કરે છે.

Foods To Avoid Empty Stomach:   ચા પીધા બાદ લોકો નાસ્તો કરે છે. પૌવા, સમોસા, આમલેટ, ફ્રુટ જ્યુસ જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. પરંતુ સવારે ખાલી પેટ કંઈપણ ખાતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ  નહી તો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ મુજબ  ખાલી પેટે ઘણી વસ્તુઓ ખાવાથી આંતરડાને નુકસાન પહોંચી શકે છે.  તેથી જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે ઓછામાં ઓછા 2 કલાક બાદ નાસ્તો કરવાનો પ્રયાસ કરો. આવો જાણીએ કઈ વસ્તુઓને ખાલી પેટ ન ખાવી જોઈએ.

કોફી

ઘણા લોકો દિવસની શરૂઆત કોફીથી કરે છે પરંતુ ખાલી પેટ કોફી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેનાથી પાચન તંત્રમાં હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવ ઉત્તેજિત થાય છે. જે પેટની સમસ્યા બની શકે છે.

મસાલાદાર જમવાનું 

સવારે ખાલી પેટે મસાલેદાર જમવાનું ક્યારેય ન ખાવુ જોઈએ. તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. એસિડિક રિએક્શન અને પેટમાં ખેંચ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. મસાલેદાર ખોરાક પણ અપચો વધારી શકે છે. સવારના નાસ્તામાં સમોસા, કચોરી, પકોડી જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.


દહીં

દહીં ખાવાનું ઘણા લોકોને પસંદ હોય છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે. જો ખાલી પેટે દહીંનું સેવન કરવામાં આવે તો તે પેટમાં એસિડિટીનું સ્તર બગડી શકે છે. દૂધમાંથી બનેલી કોઈપણ વસ્તુનું સેવન ખાલી પેટે કરવાનું ટાળવું જોઈએ  કારણ કે તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી નાખે છે અને એસિડિટી જેવી સમસ્યા શરૂ થાય છે.

જ્યૂસ

મોટાભાગના લોકો દિવસની શરૂઆત જ્યૂસથી કરે છે.  તેમને લાગે છે કે જ્યૂસ ખૂબ જ સારુ છે, પરંતુ એવું બિલકુલ નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર દિવસની શરૂઆત ક્યારેય ફળોના રસથી ન કરવી જોઈએ. આ સ્વાદુપિંડ પર વધારે ભાર પડે છે.  જે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. ખાલી પેટે જ્યૂસ પીવાથી ફ્રુક્ટોઝના રૂપમાં ફળોમાં રહેલી સુગરને કારણે લીવર પર વધુ દબાણ આવે છે.

કાચા શાકભાજી

સવારે ઉઠીને ક્યારેય ખાલી પેટે કાચા શાકભાજી કે સલાડ ન ખાઓ. હેલ્થ એક્સપર્ટ મુજબ  કાચા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ખાલી પેટે ખાવાથી પેટ પર વધારાનો ભાર પડે છે. તેનાથી પેટ ફૂલવું અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ખાટા ફળો

ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ જ્યારે તેને યોગ્ય સમયે ખાવામાં આવે તો તે ફાયદાકારક છે.   ખાટા ફળો ક્યારેય ખાલી પેટે ભૂલથી પણ ન ખાવા જોઈએ.  આ એસિડના ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને પાચન તંત્રને ખરાબ કરી શકે છે. ફળોમાં મળતા વધારાના ફાઈબર અને ફ્રક્ટોઝ પેટને બીમાર કરી શકે છે. એટલા માટે જામફળ અને નારંગી જેવા ખાટા અને રેસાવાળા ફળો ક્યારેય સવારે ન ખાવા જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Embed widget