શોધખોળ કરો

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ખાઓ આ 5 હેલ્ધી ફૂડ્સ, દિવસભર તાજગી અને એનર્જીનો થશે અહેસાસ

Mahashivratri Vrat: ઘણા લોકો ઉપવાસ દરમિયાન એનર્જીનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે.

Mahashivratri 2023:  ભગવાન શિવનો મુખ્ય તહેવાર મહાશિવરાત્રી આ વર્ષે 18 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે ઉજવવામાં આવશે. ફાગણ માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો આ શુભ પર્વની તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ મોટો અને વિશેષ છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પાસેથી માંગવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાદેવની ઉપાસના કરવાથી જીવનમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. જો તમે નથી જાણતા કે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તો અમે તમને જણાવીશું.

કેમ રાખવામાં આવે છે મહાશિવરાત્રિનું વ્રત?

આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા અને તેમની સાથે ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું. મહાશિવરાત્રીના દિવસે સ્ત્રી અને પુરુષ બંને સાચા મનથી વ્રત રાખે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન ઉર્જાનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ જેથી એનર્જી લેવલ જળવાઈ રહે. આવો જાણીએ...

શું ના ખાવું જોઈએ?

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારનું અનાજ, ડુંગળી, લસણ, માછલી, માંસ, ઈંડા વગેરે ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ઉપરાંત, ભક્તો ન તો નશો કરી શકે છે કે ન તો ધૂમ્રપાન કરી શકે છે. અહીં અમે એવી ખાદ્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી તમે ઉપવાસ દરમિયાન નબળાઈ અનુભવશો નહીં અને એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે.

ઉપવાસ દરમિયાન શું ખાવું?

1 ફળ

ઉપવાસોમાં ફળોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફળોના સેવનથી ઉપવાસ દરમિયાન ભક્તોની ઉર્જા જળવાઈ રહે છે અને તેઓ નબળાઈ અનુભવતા નથી. ફળ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો પણ મળે છે. ફળો માત્ર એનર્જી વધારવાનું કામ કરતા નથી, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. ઉપવાસ દરમિયાન તમે સફરજન, દાડમ, નારંગી અને કેળા ખાઈ શકો છો. આ ખાવાથી તમારું શરીર હાઇડ્રેટ રહેશે અને પેટ ખાલી નહી લાગે.

2 હેલ્દી જ્યૂસ

મહાશિવરાત્રિ પર ઉપવાસ કરતા ભક્તો ફળોમાંથી બનાવેલા જ્યુસનું સેવન પણ કરી શકે છે. જ્યુસ પીવાથી તેઓ નબળાઈ નહીં અનુભવે અને પૂજા પ્રત્યે ઉત્સાહ રહેશે. જ્યૂસ તમને એનર્જી પણ આપશે, જેના કારણે તમે એક્ટિવ રહેશો. તમને હાઇડ્રેટેડ રાખવામાં પણ જ્યુસ મહત્વની ભૂમિકા ભજવશે. તમે ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી અથવા ફળોનો રસ પી શકો છો.

3 શાકભાજી

શાકભાજીને શુદ્ધ ખોરાક માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉપવાસ દરમિયાન તે ભક્તો માટે યોગ્ય ભોજન છે. તમે તમારા ફાસ્ટિંગ ફૂડમાં બટાટા તેમજ કોળાનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજી બનાવતી વખતે રોક સોલ્ટનો ઉપયોગ કરો.

4 ડ્રાયફ્રુટ્સ

મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે એવો ખોરાક લેવો જરૂરી છે, જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે ન તો નબળાઈ અનુભવો છો અને ન તો ઊર્જાની કમીનો સામનો કરવો પડશે. ડ્રાયફ્રુટ્સ તમને આ પરિસ્થિતિથી બચવામાં મદદ કરી શકે છે. આનાથી તમારું પેટ ભરેલું રહેશે એટલું જ નહીં, એનર્જી પણ મળશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
Embed widget