શોધખોળ કરો

Gujarat Politics: આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે, ચૈતર વસાવા સમાજના આઈકોનઃ ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટે કારસો છે.

AAP: જંગલની જમીન ખેડવાના મુદ્દે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઘેર બોલાવી, મારી નાખવાની ધમકી આપી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચૈતર વસાવા હાલ ફરાર છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ઈસુદાન ગઢવીએ શું કહ્યું

પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે.  વનવિભાગના કર્મચારીઓએ જમીન પર વાવેતર કાપ્યું, કર્મચારીઓએ ખેડૂતોનો ઉભો પાક બરબાદ કર્યો, ખેડૂત-વનવિભાગના કર્મચારીઓ વચ્ચે સમાધાન થયુ હતું.

30 ઓક્ટો.ની ઘટનાની ફરિયાદ 2 નવે.એ નોંધાઈ હતી. કોઈ ફાયરિંગ કરાયુ નથી, પૂરાવા આપો. ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલી ફરિયાદ છે. ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટે કારસો છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ બાદ હવે મોડી રાત્રે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. મહત્વનું છે કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદમાં ચૈતર વસાવાના પત્ની, પીએ અને ખેડૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વનવિભાગે ચૈતર વસાવા તેના પત્ની અને પીએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાઇ છે જે બાબત ની માંગ લઈને ધારાસભ્યના સમર્થકોએ  દેડીયાપાડા બંધનું એલાન આપ્યું હતું.  આ બંધને નિષ્ફળ કરવા જાતે સાંસદ મનસુખ વસાવા અને ભાજપના કાર્યકરો બજારમાં દુકાનો ખોલવા નીકળ્યા હતા અને પોલીસે પણ જોકે ડેડીયાપાડા ખાતે સવારે સજ્જડ પોલીસ બધોબસ્ત ગોઠવી દઈને દુકાનો ખોલવાં અપીલ કરી હતી.

જોકે આ બાબતે આમ આદમી પાર્ટીના આગેવાનોએ કહ્યું, ધારાસભ્યને સરકાર 2024 ની ચૂંટણી ને લઈને હેરાન કરવા માંગે છે. લોકપ્રિય ધારાસભ્ય હોય આદિવાસી સમાજ તેમના સાથે છે.અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે. સરકાર આ તમામ આક્ષેપો પાછાં લઈને નિર્દોષ જાહેર કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
Embed widget