શોધખોળ કરો

Gujarat Politics: આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે, ચૈતર વસાવા સમાજના આઈકોનઃ ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટે કારસો છે.

AAP: જંગલની જમીન ખેડવાના મુદ્દે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઘેર બોલાવી, મારી નાખવાની ધમકી આપી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચૈતર વસાવા હાલ ફરાર છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ઈસુદાન ગઢવીએ શું કહ્યું

પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે.  વનવિભાગના કર્મચારીઓએ જમીન પર વાવેતર કાપ્યું, કર્મચારીઓએ ખેડૂતોનો ઉભો પાક બરબાદ કર્યો, ખેડૂત-વનવિભાગના કર્મચારીઓ વચ્ચે સમાધાન થયુ હતું.

30 ઓક્ટો.ની ઘટનાની ફરિયાદ 2 નવે.એ નોંધાઈ હતી. કોઈ ફાયરિંગ કરાયુ નથી, પૂરાવા આપો. ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલી ફરિયાદ છે. ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટે કારસો છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ બાદ હવે મોડી રાત્રે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. મહત્વનું છે કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદમાં ચૈતર વસાવાના પત્ની, પીએ અને ખેડૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વનવિભાગે ચૈતર વસાવા તેના પત્ની અને પીએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાઇ છે જે બાબત ની માંગ લઈને ધારાસભ્યના સમર્થકોએ  દેડીયાપાડા બંધનું એલાન આપ્યું હતું.  આ બંધને નિષ્ફળ કરવા જાતે સાંસદ મનસુખ વસાવા અને ભાજપના કાર્યકરો બજારમાં દુકાનો ખોલવા નીકળ્યા હતા અને પોલીસે પણ જોકે ડેડીયાપાડા ખાતે સવારે સજ્જડ પોલીસ બધોબસ્ત ગોઠવી દઈને દુકાનો ખોલવાં અપીલ કરી હતી.

જોકે આ બાબતે આમ આદમી પાર્ટીના આગેવાનોએ કહ્યું, ધારાસભ્યને સરકાર 2024 ની ચૂંટણી ને લઈને હેરાન કરવા માંગે છે. લોકપ્રિય ધારાસભ્ય હોય આદિવાસી સમાજ તેમના સાથે છે.અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે. સરકાર આ તમામ આક્ષેપો પાછાં લઈને નિર્દોષ જાહેર કરે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget