શોધખોળ કરો

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોટો ઝટકો, ઇસુદાન ગઢવીના નિર્ણયથી ખળભળાટ

Aam Aadmi Party: ગુજરાત આમ આદમી પાર્ટીમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે તો બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ થયા છે.

Aam Aadmi Party: ગુજરાત આમ આદમી પાર્ટીમાં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે તો બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ થયા છે. ઉમેશ મકવાણાએ આજે સવારે  ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની અટકળો વચ્ચે  દંડકપદેથી રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી દંડક પદેથી રાજીનામું આપી દીધુ છે. જોકે તેમણે હજુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

 

ઉમેશ મકવાણાના નિવેદન અને તેમના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આમ ઉમેશ મકવાણા પાર્ટી છોડે તે પહેલા જ પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. એવી પણ અટકળો સામે આવી છે ઉમેશ મકવાણા કા તો બીજેપીમાં જશે અથવા કોઈ નવી પાર્ટી બનાવી શકે છે. જોકે, ઉમેશ મકવાણાએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

MLA ઉમેશ મકવાણાએ દંડક પદેથી આપ્યું રાજીનામું

ગુજરાતમાં તાજેતરમાં જ બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં કડીમાં ભાજપ જીત્યુ તો વિસાવદરમાં આપે બાજી મારી હતી, આ બન્ને પરિણામો બાદ સૌથી વધુ ચર્ચા આપ નેતા ગોપાલ ઇટાલિયા અને ગુજરાત આપની થઇ રહી હતી, પરંતુ હવે ગુજરાત આમ આદમી પાર્ટીને ઝટકો આપતા સમાચાર સામે આવ્યા છે. આજે બોટાદના આપના ધારાસભ્યએ પાર્ટીને જ મોટો ઝટકો આપી દીધો છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપી દીધુ છે. આ રાજીનામા સાથે ગુજરાત આપમાં ડખો થયો હોવાની વાત પણ ચર્ચાએ ચઢી છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અટકળો વચ્ચે તેમણે દંડકપદેથી રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા. દંડકપદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ રહી છે. હું આપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજાને પૂછીને નિર્ણય કરીશ. મળતી માહિતી અનુસાર, AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે અને આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં તેમણે આજે દંડકપદેથી રાજીનામું આપી દીધું છે.

આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું - પક્ષના આગેવાનો સાથે બેઠક કરી ધારાસભ્ય પદને લઈને નિર્ણય કરીશ. AAPએ મને દંડક બનાવી રાજકીય પક્ષના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવ્યો. કોંગ્રેસ પાર્ટીએ પણ પછાત સમાજના લોકોને મહત્ત્વના સ્થાન ના આપ્યા. AAP પણ પછાત સમાજના મુદ્દા ઉઠાવવામાં પાર્ટી તરફથી અવગણના કરે છે. ગોપાલ ઈટાલિયાના કારણે રાજીનામું આપું છું એવું નથી. સરકારને વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન પુછ્યા છે, મેં જનતા માટે કામ કર્યા છે. બોટાદની જનતા સાથે ચર્ચા કર્યા બાદ ધારાસભ્ય તરીકે રાજીનામા બાબતે નિર્ણય લઈશ. AAPના તમામ પદ પરથી રાજીનામું આપું છું, કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ.

2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP દ્વારા બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી દીધા હતા. આ પછી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી, જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget