ઉપરવાસમાં ભારે વરસાદ સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલાયા, પાણી નદીમાં છોડાતા સાબરમતી બે કાંઠે થઇ
Ahmedabad Sabarmati River: વાસણા બેરેજમાંથી 31 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે

Ahmedabad Sabarmati River: ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ વરસાદે તબાહી મચાવી છે, મોટાભાગની નદીઓ અને સરોવરો ઓવરફ્લો થઇ ગયા છે. છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી છે. સાબરમતી નદીમાં પાણી વધતા અમદાવાદ-ગાંધીનગર નજીક આવેલું સંત સરોવર ઓવરફ્લો થયુ છે. પાણીની આવક વધતા હાલમાં સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સંત સરોવરમાંથી 60 હજાર 546 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાઇ રહ્યું છે. આ ઉપરાંત વાસણા બેરેજના 24 દરવાજા પણ 6 ફૂટ સુધી ખોવામાં આવ્યા છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરના 21 દરવાજા ખોલાવામાં આવ્યા છે. સંત સરોવરમાંથી 60 હજાર 546 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું રહ્યું છે. પાણીની આવક થતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે. સંત સરોવરમાં 52 ફૂટની સપાટી પર પાણી વહી રહ્યું છે, વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે, વાસણા બેરેજમાંથી 31 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.
ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ સતત ચાલુ રહેવાથી સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઇને અમદાવાદ સુધી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે. ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી આવતા લોકોમાં હાશકારો અનુભવાયો છે. મહત્વનું છે કે, ગઇકાલે ધરોઇ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો, જેના કારણે છ દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. હાલમાં પણ ડેમના કેચપીટ અને નદીના પટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી 60 હજાર કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે, આ ઉપરાંત વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે, અને 31 હજાર ક્યૂસેક પાણી વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે.





















