BBC Documentary Live Update: બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ પર હોબાળો, (JNU)ના વિદ્યાર્થીઓએ કરી હતી ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગની જાહેરાત
Delhi જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓએ પણ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી, પરંતુ યુનિવર્સિટીએ કેમ્પસમાં વીજળી અને ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખ્યા હતા.

Background
Delhi જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓએ પણ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી, પરંતુ યુનિવર્સિટીએ કેમ્પસમાં વીજળી અને ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખ્યા હતા.
બીબીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે. આ ડોક્યુમેન્ટરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેએનયુમાં વિદ્યાર્થી જૂથે હૈદરાબાદ યુનિવર્સિટીમાં તેની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેણે ઘણો હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટીએ આ મામલે સત્તાવાળાઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દેવેશ નિગમે જણાવ્યું હતું કે પોતાને 'ફ્રેટરનિટી મૂવમેન્ટ' ગણાવતા વિદ્યાર્થીઓના એક જૂથે નોર્થ કેમ્પસમાં એક શોપિંગ કોમ્પ્લેક્સમાં પરવાનગી વિના બીબીસીની ફિલ્મ 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'નું સ્ક્રીનિંગ કર્યું હતું.
રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, "માહિતી મળતાં, સુરક્ષા ટીમ અને ડીન, વિદ્યાર્થી કલ્યાણ સ્થળ પર પહોંચ્યા અને આયોજકોને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવા માટે વિનંતી કરી. જો કે, આયોજકોએ વિનંતી સ્વીકારી ન હતી અને વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીને સ્ક્રિનિંગમાં દર્શાવી હતી. કેટલાક વિદ્યાર્થીઓની હાજરીમાં સ્ક્રીનિંગ ચાલુ રહ્યું હતું."
BBC Documentary Live Update: અનિલ એન્ટનીએ રાજીનામા પત્રમાં શું લખ્યું?
રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું હતું કે ગઈકાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હું માનું છું કે મારા માટે કોંગ્રેસમાં મારી તમામ ભૂમિકાઓ છોડી દેવી યોગ્ય રહેશે. હું દરેકનો, ખાસ કરીને કેરળ રાજ્યના નેતૃત્વ અને ડૉ. શશિ થરૂરનો આભાર માનું છું. અનિલે આગળ લખ્યું હતું કે મને ખાતરી છે કે મારી પોતાની અનન્ય શક્તિઓ છે જે મને ઘણી રીતે પાર્ટીમાં ખૂબ જ અસરકારક રીતે યોગદાન આપવા સક્ષમ બનાવશે.
BBC Documentary Live Update: ભારત સરકાર વાંધો ઉઠાવ્યો
, સરકારે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યુટ્યુબને 'ભારત: ધ મોદી પ્રશ્ન' નામની ડોક્યૂમેન્ટરીની લિંકને બ્લોક કરી દેવાનો આદેશ અપાયો હતો. વિદેશ મંત્રાલયે આ દુષ્પ્રચારનું એક માધ્યમ ગણાવીને નકારી કાઢી હતી. સરકાર કહે છે કે તેમાં નિષ્પક્ષતાનો અભાવ છે અને તેમાં ઔપનિશેક વસાહતી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.





















