શોધખોળ કરો

News: ડુંગળીના ખેડૂતો ફરી રડ્યા, ભાવનગર યાર્ડમાં બમ્પર આવક છતાં ભાવ તળીયે, 5 રૂ.કિલો બોલાયો ભાવ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખેડૂતોને પોષણશ્રમ ભાવનો અભાવ છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીની જોરદાર આવક થઇ રહી છે

Bhavnagar News: રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકડવતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખેડૂતોને પોષણશ્રમ ભાવનો અભાવ છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીની જોરદાર આવક થઇ રહી છે, છતાં પણ ખેડૂતોને પોષણશ્રમ ભાવ નથી મળી રહ્યાં, આ વાતને લઇને ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકો થઇ રહી છે, પરંતુ ડુંગળીની બમ્પર આવક સામે હાલમાં ભાવ તળિયે બેસી ગયા છે, છેલ્લા 24 કલાકમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઇ ગયું છે. આજે યાર્ડમાં અઢી થી ત્રણ લાખ ડુંગળીની બોરીની આવક થઈ છે. લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ પાંચથી આઠ રૂપિયાનો જ ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણશ્રમ ભાવ નહીં મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી છે જે બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા છે. રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. 

ડુંગળી પકવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર- 

છેલ્લા દસ દિવસથી ખરીફ પાકની આવક વધી રહી છે. દરરોજ 15,000 થી વધુ ક્વિન્ટલની આવક થઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જે બાદ સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે સમીક્ષા બેઠક યોજશે.

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીને ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી હતી. જે દેશોને ડુંગળીની ખૂબ જ જરૂર છે, તેમને ભારત સરકારની મંજૂરી લીધા બાદ તેની નિકાસ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.

ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે રાહત દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. જેથી સામાન્ય જનતાને થોડી રાહત મળી શકે. નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તો પણ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રાહત દરે વેચાણ ચાલુ રહેશે.

અત્યાર સુધીમાં સરકારે 25,000 ટન ડુંગળીની ખરીદી કરી છે અને સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જાહેર કરી છે. કેન્દ્ર સરકાર અને તેની સંલગ્ન સમિતિઓ સંયુક્ત રીતે છૂટક દુકાનો અને મોબાઈલ વાન દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી વેચી રહી છે.

ગયા મહિનાની શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં સ્થાનિક શાકભાજી વિક્રેતાઓ 70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા હતા. કિંમતો સતત વધી રહી હતી, તેથી સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ભાવને અંકુશમાં રાખવા માટે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ડુંગળીની નિકાસ નીતિને 31 માર્ચ, 2024 સુધી ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં બદલવામાં આવી છે. જો કે, તે દરમિયાન, અન્ય દેશોને તેમની વિનંતીના આધારે સરકારની મંજૂરી લીધા પછી ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget