Gandhinagar: વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને જેલની સજા, કોર્ટે ફટકાર્યો 50 હજારનો દંડ
Gandhinagar: ગાંધીનગરમાં વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે.

Gandhinagar: ગાંધીનગરમાં વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. વર્ષ 2020માં સેક્ટર-28માં આવેલી વસંતકુંવર બા શાળામાં લેસન ન કરવા જેવી બાબતે શિક્ષિકા પારુલબેને ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લાફો ઝીંક્યા હતા. જેના કારણે વિદ્યાર્થિનીનો કાનનો પડદો ફાટી ગયો હતો. કોર્ટે નોંધ્યું કે શિક્ષિકાએ કરેલો આ હુમલો ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. શિક્ષિકાએ સત્તાનો દુરુપયોગ અને માસુમ વિદ્યાર્થિની પર કરવામાં આવેલી શારીરિક હિંસા ગંભીર બાબત હોવાનું કોર્ટે અવલોકન કર્યું હતું. કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજાની સાથે 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
લાફો મારનાર શિક્ષિકાને કોર્ટે જેલની સજા ફટકારી
વર્ષ 2020ના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. શિક્ષિકાએ માર મારતાં વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. શિક્ષિકાને જેલની સજા સહિત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2020માં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને લેસન નહીં કરવા બદલ શિક્ષિકાએ લાફો માર્યો હતો. જેના કારણે વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. વિદ્યાર્થિનીને સાંભળવાની શક્તિ પર ગંભીર અસર થઈ હતી. કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા સહિત દંડ ફટકાર્યો છે. દંડની રકમ વિદ્યાર્થિનીને વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.
ન્યાયાધીશ હિમાંશુ ચૌધરીએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા સત્તાનો દુરુપયોગ અને માસૂમ બાળક પર કરવામાં આવેલી શારીરિક હિંસા ગંભીર બાબત છે, જે ભવિષ્યમાં અન્ય માટે ઉદાહરણરૂપ બનશે. કોર્ટે નોંધ્યું કે આ હુમલો 'ક્રૂરતા'ની શ્રેણીમાં આવે છે અને તે ગંભીર ઈજા પહોંચાડવી અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ ગુનો બને છે. કોર્ટે આ ઘટનાને બાળકોના અધિકારો અને શાળામાં સુરક્ષિત વાતાવરણના ઉલ્લંઘન તરીકે ગંભીરતાથી લીધી હતી. શિક્ષણના નામે બાળકો પર શારીરિક અત્યાચાર સહન કરી શકાય નહીં. આ સજા શિક્ષકો માટે એક મોટો સંદેશ છે કે બાળકો સાથે થતી કોઈ પણ પ્રકારની હિંસાને સહન કરવામાં આવશે નહીં.























