શોધખોળ કરો

Heeraben Modi : હીરાબાએ આકરી મહેનત કરીને કઇ રીતે મોદી સહિતના સંતાનોને ઉછેર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે નિધન થયુ હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં નિધન થયુ હતું. બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબાએ આજે (30 ડિસેમ્બર) સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હીરાબાનો જન્મ મહેસાણાના વિસનગરમાં થયો હતો. માતાનો પ્રેમ મળ્યો ન હોવા છતા તે એક ઉમદા માતા સાબિત થયા.

હીરાબાએ માતાનો ચહેરો પણ જોયો નહોતો કે માતાની મમતા પણ અનુભવી નહોંતી છતા તેમણે પોતાના સંતાનોને અખુટ માતૃત્વ પ્રદાન કર્યું હતું. તેઓ તેમની અથાગ મહેનતમાં સફળ રહ્યા તેમની તેમને તેમના પુત્રોને જોઈને હંમેશા ગર્વ થતું હતું.હીરાબાના લગ્ન માત્ર 15 થી 16 વર્ષની ઉમરે થયા હતા. દામોદરદાસ મોદી સાથે લગ્ન બાદ તેઓ વડનગરમાં એક બારી વગરના નાના મકાનમાં રહ્યા. ઘરમાં છાણા સળગાવી ચુલા પર રાંધતા હતા.

ઘરમાં કે ઘર પાસે નળની કોઈ વ્યવસ્થા નહોતી તેથી હીરાબા દિવસમાં બે વાર કૂવામાંથી પાણી લાવતા હતા. સાથે જ કપડા ધોવા માટે દરરોજ ગામના તળાવે જતા.ઘણી વખત નરેન્દ્ર મોદી સહિત તેમના સંતાનો પણ માતા સાથે તળાવે જતા હતા.હીરાબા અને દામોદરદાસને છ બાળકો હતા. જેમાં ત્રીજા નંબરે વડાપ્રધાન મોદી હતા. તે સિવાય અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વાસંતીબેન હસમુખલાલ મોદી.

હીરાબેને જીવનભર સંઘર્ષ કર્યો હતો. પીએમ મોદીએ પોતાની માતાના સંઘર્ષનો ઘણી વખત ભાવનાત્મક રીતે ઉલ્લેખ કર્યો છે. 2015માં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષને યાદ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મારા પિતાના અવસાન પછી માતા બીજાના ઘરે જઈને વાસણો સાફ કરતી અને પાણી ભરીને ગુજરાન ચલાવતી અને અમને ખવડાવતી. ત્યારબાદ માતાની સમસ્યાઓને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈ ગયા અને રડી પડ્યા.

હીરાબાના પરિવારની આર્થિક સ્થિતિ અને પારિવારિક સમસ્યાઓના કારણે તેમને ક્યારેય ભણવાની તક મળી ન હતી.  હીરાબા પોતે અભણ હતા, પરંતુ તે ઈચ્છતા હતા કે તેના તમામ બાળકો શિક્ષિત બને.પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોંતી પરંતુ બાળકોને ભણાવવા હતા. હીરાબા પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા, પરંતુ હીરાબાએ ક્યારેય પૈસા ઉછીના લીધા ન હતા અને બાળકોના ભણતરની ફી માટે બીજાના ઘરે વાસણ માંજવા સહિતના કામ કર્યા હતા.

હીરાબા આસપાસના લોકો અને ખાસ કરીને બાળકો અને મહિલાઓ માટે એક ડોક્ટર કે એક વૈદની ગરજ સારતા હતા. કારણે કે તેઓ તમામ ઘરગથ્થુ ઉપચારો જાણતા હતા. હીરાબા ભલે અભણ હતા, પરંતુ વડનગરના લોકો તેમને ડૉક્ટરના નામથી બોલાવતા હતા.હીરાબા વડનગરમાં નાના બાળકો અને મહિલાઓની નાની મોટી સારવાર પણ કરી લેતા હતા. એ જમાનામાં સ્ત્રીઓ પોતાની તકલીફો બહાર કહી શકતી ન હતી, તેથી તેઓ હીરાબા પાસે તેમની સારવાર કરાવતી હતી.

આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેમણે ક્યારેય બહારનું કંઈ ખાધું નહોતુ. પરંતુ હીરાબાને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવતો. અને તેના માટે તે ક્યારેય ના નહોતા પાડતા. ઉમરનો મોટો પડાવી વટાવી ચુક્યા હતા છતાં પણ તેમને આઈસ્ક્રીમ ઘણો ભાવતો અને ખાઈ પણ લેતા હતા.હીરાબા હંમેશા તેના કામમાં વ્યસ્ત રહેતા હતા. તેમનો નિત્યક્રમ માત્ર કામ અને તેમનો પરિવાર જ તેમનું સર્વસ્વ હતું. ઈશ્વર પર તેમને અખૂટ શ્રદ્ધા હતી. રોજ નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ કરવાનું તે ક્યારે ન ચુકતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.