શોધખોળ કરો

રૂપાણી સરકારની ગુલાંટ, જાણો ક્યો મોટો નિર્ણય પાછો લેવાની કરી જાહેરાત ?

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુરૂવારે બપોરે જ જાહેરાત કરી હતી કે, કોઈ પણ સંજોગોમાં 23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા-કોલેજો શરૂ કરાશે પણ મોડી સાંજે સરકારે ગુલાંટ લગાવીને આ નિર્ણય મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે ફરી એક વાર ગુલાંટ લગાવી છે. ગુજરાત સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો પણ કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી સરકારે આખરે આ નિર્ણય મોકૂફ રાખ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુરૂવારે બપોરે જ જાહેરાત કરી હતી કે, કોઈ પણ સંજોગોમાં 23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા-કોલેજો શરૂ કરાશે પણ મોડી સાંજે સરકારે ગુલાંટ લગાવીને આ નિર્ણય મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ચુડ઼ાસમાએ જણાવ્યું કે આ અંગે નવી તારીખ નક્કી કરવાની હાલ કોઈ યોજના નથી. રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણ મંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. હાલના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે તે મુજબની જાહેરાત કરી દીધી હતી. ગુરૂવારે બપોરે ચુડાસમાએ જણાવ્યું હતું કે, કાળજી લેવાથી કામ ચાલે અને કોરોનાથી બચી પણ શકાય તેવો સંદેશ 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરીને ગુજરાત આપશે. એસ.ઓ.પી.ના પાલનની સુનિશ્ચિતતા માટે જિલ્લા-નગરો-તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં કેટલાં વિદ્યાર્થીઓ હાજર રહે છે, કેટલા વાલીઓની સંમતિ આવી છે તેની માહિતી દિવસમાં 3 થી 4 વાર રાજ્યકક્ષાએ મળે તેવી સંકલન વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. સ્થાનિક પરિસ્થિતિ, અનુકૂળતા અને સગવડતા માટે જરૂર જણાયે એસઓપીમાં નાના-મોટા ફેરફારો કરવાની તૈયારી દર્શાવી હતી. જિલ્લા કલેક્ટરો સાથે સંકલનમાં રહીને કંટ્રોલરૂમ કાર્યરત કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ હોવાનું પણ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. ગુરૂવારે સાંજે રૂપાણી સરકારે ગુલાંટ લગાવીને આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ Final: આઇસીસીની અંતિમ મેચોમાં કોનો રહ્યો છે દબદબો? જુઓ આંકડા
IND vs NZ Final: આઇસીસીની અંતિમ મેચોમાં કોનો રહ્યો છે દબદબો? જુઓ આંકડા
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final: આઇસીસીની અંતિમ મેચોમાં કોનો રહ્યો છે દબદબો? જુઓ આંકડા
IND vs NZ Final: આઇસીસીની અંતિમ મેચોમાં કોનો રહ્યો છે દબદબો? જુઓ આંકડા
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Embed widget