શોધખોળ કરો

Nadiad: કણજરી ગામે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાતના છુટા અંગો અને મૃત બાળક મળતા ચકચાર 

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી ગામે નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બાળકના છુટા અંગો સાથે મૃત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે.

નડિયાદ:  ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી ગામે નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બાળકના છુટા અંગો સાથે મૃત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે.  આ નવજાત બાળકને જીવિત કે મૃત હાલતમાં પોતાનું પાપ છુપાવવા ત્યજી દેવાયું હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર સ્થળ પર પહોંચ્યા હતા. બાળકના છુટા અંગો અને મૃત બાળક મળવાની ઘટનાને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અજાણ્યા દંપતિ દ્વારા પાલીકાની હદમાં કોઈ પણ જગ્યાએથી ગટરના ગંદા પાણીના નિકાલમાં  બાળકને જીવતુ કે મૃત હાલતમાં ફેકી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.  આ સમગ્ર મામલે ચકલાસી પોલીસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝરની ફરિયાદના આધારે  IPC 318ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

છાણી સ્વામિનારાયણ મંદિરમાં ધક્કામુકી દરમિયાન એક વ્યક્તિનું મોત

છાણીનું સ્વામીનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની વ્યક્તનું મોત થયું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઉલ્લેખનિય છે કે, આ મંદિર વડતાલ તાબા હેઠળનું છે.અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક  જૂથને  મંદિર સોંપ્યું છે. જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે વિવાદ કરી રહ્યા છે, આ વિવાદના કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માગતા હતા, આમ મંદિરના તાળા બદલવાના મામલે બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની  વ્યક્તિ પડી જતાં તેમનું મોત  થયું છે. મોતને લઇને મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં તાળા બદલવા સમયે થયેલી ધક્કામૂકીમાં મોત થઇ ગયું અને આ મામલે હજુ પણ મંદિરના સંતો કંઇ બોલવા તૈયાર નથી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

વડોદરાના છાણીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 12 ઓગસ્ટના વહેલી સવારે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.   મંદિરના કોઠારી સ્વામી જ્યારે  તાળુ બદલતા હતા ત્યારે જૂના વહીવટકર્તાઓએ આવીને દલીલ કરી હતી. આ બોલાચાલીમાં ધક્કામૂકી પણ થઇ અને આ દરમિયાન  દિનેશ વણકર નામની વ્યક્તિને  ધક્કો લાગતા તેઓ મંદિરમાંથી બહાર ફેંકાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થઇ ગયું હતું.   

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget