શોધખોળ કરો

વડોદરાના સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વકર્યો , ક્યા સ્વામીએ મંદિર છોડવાની કરી જાહેરાત

વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો છે. મંદિરમાં સંતોના જૂથવાદને લઈને હરિભક્તો પરેશાન થઈ રહ્યા છે.

વડોદરાઃ વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો  છે. મંદિરમાં સંતોના જૂથવાદને લઈને હરિભક્તો પરેશાન થઈ રહ્યા છે. સોખડા મંદિરના પ્રવેશદ્વાર પર નોટિસ લગાવી દ્વાર જ બંધ કરી દેવામાં આવતા હરિભક્તો પરેશાન થયા છે. મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવતા મંદિરની બહાર હરિભક્તોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી.

જો કે, મંદિરમાં તેમને પ્રવેશ ન અપાતા દુઃખી થયા છે. મંદિરની બહાર બેસી જ હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણનો જાપ શરૂ કર્યો હતો. મંદિરમાં પ્રવેશવા સમયે ચેકિંગ કરાતા એક હરિભક્ત અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે તકરાર થઈ હતી. તો સંતોના વિવાદ વચ્ચે પોલીસ પણ મંદિરમાં પહોંચી.  હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડા હરિધામ પ્રેમસ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથમાં ફેરવાઈ ગયું છે. પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતોએ હરિધામ છોડવાની જાહેરાત કરી છે. મંદિર મેનેજમેંટે નોટિસ લગાવી ફરમાન કર્યું કે કાયદાકીય પૂર્ણ કર્યા વિના મંદિર છોડી શકાય નહીં. વિવાદને પગલે મંદિરનો એક જ ગેટ ખુલ્લો રખાયો છે અને ત્યાં બાઉન્સર તહેનાત કરી દેવાયા હતા.

વીર નર્મદ યુનિવર્સિટીમાં સેમેસ્ટર -6ના પેપર ફૂટ્યાનો આરોપ, પાંચ પેપર કરાયા રદ

સુરતઃ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ સેમેસ્ટર-છનું પેપર ફૂટ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાના આરોપ વચ્ચે પાંચ પેપર રદ કરવામાં આવ્યા છે. પેપર લીક થયાનું નહી પરંતુ માનવ ભૂલ ગણાવી વીસીએ પેપર રદ કર્યા હતા.

વીસીએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.પરીક્ષાના અડધા કલાક પહેલા પેપર લીક થયાની રજૂઆતનો ભાવેશ રબારીએ દાવો કર્યો હતો. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો હતો કે વાડીયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફૂટ્યુ છે. રદ કરાયેલા પાંચ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget