શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાના ખાસ માણસની લોકોને ગાળાગાળી સાથે ખુલ્લી ધમકી, ગામ સમરસ ના થાય તો......

ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં વિવાદ સર્જાયો છે

અમરેલીઃ ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં વિવાદ સર્જાયો છે.
સરપંચની ચૂંટણી કેટલાક ગામોમાં આક્રમક બની છે ત્યારે અણરેલી જિલ્લાના લીલીયાના ભેસવડી ગામ  ચૂંટણીલક્ષી સભામાં ત્યારે ભાજપના ટોચના નેતાના નજીકના મનાતા અરૂણ પટેલે ગ્રામજનોને ધમકી આપતાં હોબાળો થયો હતો. અમરેલી મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અને ભૂતપૂર્વ મંત્રી દિલીપ સંઘાણીના અંગ અરૂણ પટેલે અશ્લીલ શબ્દો ઉચ્ચારીને ગાળાગાળી કરાતાં ગ્રામજનો દ્વારા હોબાળો કરાયો હતો. અમરેલીના ભેંસવડી ગામમાં ચૂંટણી ન યોજાય અને ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે ભાજપના આગેવાન અરૂણ પટેલે ગ્રામસભા બોલાવી હતી. જોકે, આ દરમિયાન ગ્રામ સભામાં ભાજપના આગેવાને બેફામ શબ્દો બોલતા હોબાળો થયો હતો.


અરૂણ પટેલના વાણી વિલાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અરૂણ પટેલે ધમકી આપી છે કે, આ વખતે પણ ગામ સમરસ નહીં થાય તો ગામ સળગી જશે. ઘણા વર્ષોથી ભેંસવડી ગામમાં ચૂંટણી યોજાતી નથી. જોકે, આ વખતે સરપંચ પદ માટેના ફોર્મ ભરવામાં આવ્યાં છે. જેને લઈ ભાજપના અગ્રણીએ ગામ પંચાયત સમરસ થાય તે માટે ગ્રામ સભા બોલાવી હતી.દરમિયાન તેઓએ જાહેરમાં ગામને ગાળો ભાંડી દેતા ગામમાં રોષનો માહોલ ઉભો થયો છે. લોકોને સંબોધતા અરુણ પટેલે કહ્યું કે તમારે ચૂંટણી યોજવી જ હોય અને ગામને સળગાવી જ દેવું હોય તો સળગાવી દીયો. ગામમાં ઝૂંપડું સળગે કે ગમે તે થાય અને ગામમાં દારૂ વહેચાય તો મને ના કહેતા. મારામાં તેવડ છે અસામાજિક તત્વોને કાઢવાની તેમજ તમારામાં તેવડ હોય તો અસામાજીક તત્વોને કાઢો.

અરૂણ પટેલે આ ઘટના બની હોવાનું સ્વીકાર્યું છે. ગત ૬ નવેમ્બરની રાત્રે ઘટના બની હોવાનું અરૂણ પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભેસવડી ગામ છેલ્લા ૩૫ વર્ષથી સમરસ થાય છે. માત્ર ૮૦૦ લોકોની વસ્તી ધરાવતું ગામ છે  અને આ વખતે પણ સમરસ ગ્રામ પંચાયત બને તે માટેનો પ્રયાસ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Amreli News । અમરેલીના વાવડીમાં શ્વાનનો શિકાર કરવા જતા દીપડો કુવામાં ખાબક્યોAnand News । આણંદ જિલ્લામાં શેતરંજી કૌભાંડમાં 9 વર્ષ બાદ કરાઈ કાર્યવાહીGir Somnath । વેરાવળના મફતિયાપરા વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટAhmedabad News । અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રીક્ષા ચાલકને મરાયો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Embed widget