શોધખોળ કરો

ગુજરાતમાં વાવાઝોડુંએ ક્યાં કેવી સર્જી તબાહી,. સૌરાષ્ટ્રના કોટડા, માઢવાડ બંદરો બેટમાં ફરેવાયા

તૌકતે વાવાઝડું રાત્રે ગુજરાતને હિટ કરતાં ભારે પવન સાથે વરસાદનો માહોલ જામ્યો હતો. વાવાઝડાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલી જગ્યાં ઝાડ પડી ગયા તો સૌરાષ્ટ્રના બંદરો બોટમાં ફરેવાયા છે. વાવાઝડાની ક્યાં શું અસર થઇ જાણીએ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે રાત્રે વરસાદ શરૂ થઇ જતાં વીજળી ગુલ થઇ ગઇ હતી. રાજકોટ ઉપલેટા, ધોરાજીમાં રાત્રે પવન સાથે વરસાદ વરસતાં વિજળી ગુલ થઇ ગઇ ગઇ હતી. તો કેટલીક જગ્યાં વૃક્ષો ધરાશાયી થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું મહેસાણા જિ્લ્લામાં 9થી બુઘવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ત્રાટકશે. આ પહેલા તંત્ર દ્રારા સાવધાનીના પગલા રૂપે હોર્ડિગ્સ હટાવવાની કામગીરી કરાઇ હતી.

ઉનામાં તૌકતે વાવાઝડું ત્રાટકતાં  કાચા ઘરના નળિયા ઉડી ગયા હતા. ગીર સોમનાથમાં વાવાઝોડાના પગલે 10થી12 ફૂટનાં મોજા ઉછળ્યાં હતા, સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાના પગલે ઉનામાં 14 હજાર 268 લોકોનું સ્થળાંતર કરાયું છે. સુત્રાપાડામાં પણ 5423 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. કોડીનારમાં 6891 લોકોને સાવધાની ભાગ રૂપે સલામત સ્થળે ખસેડાયા હતા. વાવાઝોડના પગેલ તંત્ર દ્રારા એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઇ છે. 

તૌકતે વાવાઝડુંની સૌથી વધુ અસર ભાવનગર, જૂનાગઢ, ભાવનગરમાં જોવા મળી હતી. વાવાઝોડની સૌથી વધુ અસર ભાવનગર જિલ્લામાં જોવા મળી અહીં 150થી વૃક્ષો ધરાશાયી થયા છે. પાલીતાણામાં અને મહુવામાં  રાત્રે 5 ઇંચ વરસાદ ખાબકયો છે. 
ભાવનગરના પાલીતાણાના નવાગામ બડેલી ખાતે મકાનનું છાપરું પડતાં પિતા-પુત્રીના મોત  કરૂણ મોત થયા છે.  ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામમાં રૈયાબેન રણછોડભાઈ સરવૈયા (ઉ. વ. ૭૦) નામના વૃદ્ધા પતરાં વાળુ ઘર ધરાશાયી થવાથી મોત થયું છે.

વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણથી 5 માસૂમે ગુમાવી જિંદગી, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Embed widget