શોધખોળ કરો

ભાજપના આ દિગ્ગજ નેતા પક્ષથી નારાજ, 32 વર્ષની સેવા બાદ આપ્યું રાજીનામુ, જાણો કઇ પાર્ટીમાં જોડાશે

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકિય ગતિવધિઓ થઇ રહી છે એક બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક જ આપ પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે તો બીજી તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામુ ધરી દીધું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે રાજીનામા આપવા કારણો પણ રજૂ કર્યાં હતા.

ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જયનારાયણ વ્યાસે રાજીનામાનો નિર્ણય શા માટે લીધો તેના કારણો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ પાર્ટીનું વાતાવરણ બગાડ્યું છે. મારી સતત અવગણના થતી હતી. હું સતત ફરિયાદી બનીને પાર્ટી રહેવા માંગતો નથી. નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. તેમણે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડતો રહીશ અને લોકોની સેવા કરતો રહીશ. 32 વર્ષ ભાજપ સાથે ગળ્યા,આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી,પાટલ જિલ્લાની પરિસ્થિતિ સારી નથી,દર વખતે કાર્યકરોની અવગણના થાય છે.  તો બીજી તરફ ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી,પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે. સી આર પાટિલના વખાણ કરતાં તેમણે જણાવ્યું કે. રાજ્યના અધ્યક્ષ સી આર પાટિલ નું કાર્ય સારું છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, જો રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.

જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું કે, સિદ્ધપુરમાં મારું મકાન, દુકાન કે ઓફિસ કશું જ નથી.હું 11માં ધોરણ સુધી સિદ્ધપુર રહ્યો છું, મારે સિદ્ધપુરનું ઋણ ઉતારવું છે.રાજકારણ માટે મારી પાસે બે વિકલ્પ છે.કોંગ્રેસ અથવા આપમાં જોડાઇશ.મે અગાઉ પણ રાજીનામું આપ્યું હતું, સી આર પાટિલે મને ત્યારે સમજાવ્યો હતો. હાલ સ્થિતિ એવી છે કે, 5 જેટલા લોકો સંગઠન પર હાવી થઈ ગયા છે,

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉંગ્રેસમાં કરી ઘરવાપસી

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા જ  રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP ગુજરાત અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળયો છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP ને મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો છે.

બપોરે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા હતા.  સાંજે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દિલ્હી પહોંચ્યા અને પ્રભારી રઘુ શર્મા,  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કૉંગ્રેસમાં જોડાતા જ આમ આદમી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ અને કહ્યું, ભાજપને હરાવવા ફરી કૉંગ્રેસમાં આવ્યો છું. 

આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત 

 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. 

કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ. 

આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે  સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. 

29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

 

ટોપ સ્ટોરી

જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 9 હજાર ખાલી બોટલ મળી, કેમિકલમાં પાણી ભેળવી બનાવતા નકલી દારૂ
કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 9 હજાર ખાલી બોટલ મળી, કેમિકલમાં પાણી ભેળવી બનાવતા નકલી દારૂ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે

વિડિઓઝ

Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર
Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
Embed widget