શોધખોળ કરો

ભાજપના આ દિગ્ગજ નેતા પક્ષથી નારાજ, 32 વર્ષની સેવા બાદ આપ્યું રાજીનામુ, જાણો કઇ પાર્ટીમાં જોડાશે

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકિય ગતિવધિઓ થઇ રહી છે એક બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક જ આપ પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે તો બીજી તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામુ ધરી દીધું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે રાજીનામા આપવા કારણો પણ રજૂ કર્યાં હતા.

ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જયનારાયણ વ્યાસે રાજીનામાનો નિર્ણય શા માટે લીધો તેના કારણો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ પાર્ટીનું વાતાવરણ બગાડ્યું છે. મારી સતત અવગણના થતી હતી. હું સતત ફરિયાદી બનીને પાર્ટી રહેવા માંગતો નથી. નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. તેમણે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડતો રહીશ અને લોકોની સેવા કરતો રહીશ. 32 વર્ષ ભાજપ સાથે ગળ્યા,આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી,પાટલ જિલ્લાની પરિસ્થિતિ સારી નથી,દર વખતે કાર્યકરોની અવગણના થાય છે.  તો બીજી તરફ ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી,પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે. સી આર પાટિલના વખાણ કરતાં તેમણે જણાવ્યું કે. રાજ્યના અધ્યક્ષ સી આર પાટિલ નું કાર્ય સારું છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, જો રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.

જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું કે, સિદ્ધપુરમાં મારું મકાન, દુકાન કે ઓફિસ કશું જ નથી.હું 11માં ધોરણ સુધી સિદ્ધપુર રહ્યો છું, મારે સિદ્ધપુરનું ઋણ ઉતારવું છે.રાજકારણ માટે મારી પાસે બે વિકલ્પ છે.કોંગ્રેસ અથવા આપમાં જોડાઇશ.મે અગાઉ પણ રાજીનામું આપ્યું હતું, સી આર પાટિલે મને ત્યારે સમજાવ્યો હતો. હાલ સ્થિતિ એવી છે કે, 5 જેટલા લોકો સંગઠન પર હાવી થઈ ગયા છે,

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉંગ્રેસમાં કરી ઘરવાપસી

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા જ  રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP ગુજરાત અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળયો છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP ને મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો છે.

બપોરે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા હતા.  સાંજે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દિલ્હી પહોંચ્યા અને પ્રભારી રઘુ શર્મા,  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કૉંગ્રેસમાં જોડાતા જ આમ આદમી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ અને કહ્યું, ભાજપને હરાવવા ફરી કૉંગ્રેસમાં આવ્યો છું. 

આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત 

 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. 

કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ. 

આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે  સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. 

29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Ideas of India Summit: 'માતા-પિતાની પરવાનગી વિના લગ્ન નહીં...' મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ
Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
Weather Forecast: યુપી સહિત આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, આ 5 રાજ્યોમાં થશે કમોસમી વરસાદ
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget