શોધખોળ કરો

ભાજપના આ દિગ્ગજ નેતા પક્ષથી નારાજ, 32 વર્ષની સેવા બાદ આપ્યું રાજીનામુ, જાણો કઇ પાર્ટીમાં જોડાશે

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

અમદાવાદ:ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન આપ્યું હતું કે, 32 વર્ષ ભાજપમાં વિતાવ્યાં પરંતુ દરેક વખતે અવગણના થતી હતી. વર્તન સારૂ ન હતું

વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકિય ગતિવધિઓ થઇ રહી છે એક બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક જ આપ પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે તો બીજી તરફ આજે ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામુ ધરી દીધું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે રાજીનામા આપવા કારણો પણ રજૂ કર્યાં હતા.

ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જયનારાયણ વ્યાસે રાજીનામાનો નિર્ણય શા માટે લીધો તેના કારણો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ પાર્ટીનું વાતાવરણ બગાડ્યું છે. મારી સતત અવગણના થતી હતી. હું સતત ફરિયાદી બનીને પાર્ટી રહેવા માંગતો નથી. નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. તેમણે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડતો રહીશ અને લોકોની સેવા કરતો રહીશ. 32 વર્ષ ભાજપ સાથે ગળ્યા,આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી,પાટલ જિલ્લાની પરિસ્થિતિ સારી નથી,દર વખતે કાર્યકરોની અવગણના થાય છે.  તો બીજી તરફ ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી,પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે. સી આર પાટિલના વખાણ કરતાં તેમણે જણાવ્યું કે. રાજ્યના અધ્યક્ષ સી આર પાટિલ નું કાર્ય સારું છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, જો રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.

જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું કે, સિદ્ધપુરમાં મારું મકાન, દુકાન કે ઓફિસ કશું જ નથી.હું 11માં ધોરણ સુધી સિદ્ધપુર રહ્યો છું, મારે સિદ્ધપુરનું ઋણ ઉતારવું છે.રાજકારણ માટે મારી પાસે બે વિકલ્પ છે.કોંગ્રેસ અથવા આપમાં જોડાઇશ.મે અગાઉ પણ રાજીનામું આપ્યું હતું, સી આર પાટિલે મને ત્યારે સમજાવ્યો હતો. હાલ સ્થિતિ એવી છે કે, 5 જેટલા લોકો સંગઠન પર હાવી થઈ ગયા છે,

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કૉંગ્રેસમાં કરી ઘરવાપસી

Gujarat Election 2022:  ચૂંટણી પહેલા જ  રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP ગુજરાત અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો મળયો છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ AAP ને મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને AAP માં મહત્વ ના મળતાં પક્ષ છોડ્યો છે.

બપોરે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા હતા.  સાંજે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી છોડી કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ દિલ્હી પહોંચ્યા અને પ્રભારી રઘુ શર્મા,  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કૉંગ્રેસમાં જોડાતા જ આમ આદમી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ અને કહ્યું, ભાજપને હરાવવા ફરી કૉંગ્રેસમાં આવ્યો છું. 

આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત 

 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. 

કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ. 

આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે  સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. 

29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે 'વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ',  દર્દીઓને નિઃશુલ્ક તપાસ અને સારવાર ઉપલબ્ધ
કાલે 'વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ',  દર્દીઓને નિઃશુલ્ક તપાસ અને સારવાર ઉપલબ્ધ
Rain Update: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે, અરવલ્લી સહિતના જિલ્લામાં મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસ્યો
Rain Update: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે, અરવલ્લી સહિતના જિલ્લામાં મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસ્યો
Gujarat Rain Update: બાલાસિનોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પોણા છ ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
Gujarat Rain Update: બાલાસિનોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પોણા છ ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર બદલાયા, મનસુખ વસાવાની હાજરીમાં સરકારની યોજનાઓના કર્યા વખાણ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર બદલાયા, મનસુખ વસાવાની હાજરીમાં સરકારની યોજનાઓના કર્યા વખાણ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: મેરેજ બ્યૂરોના માધ્યમથી લવ જેહાદ
Hun To Bolish : હું તો બોલીશ: અલનીનો સામે સરકાર કેટલી તૈયાર?
Gujarat Rain News : ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 
Rajkot Rain: અસહ્ય ગરમી બાદ રાજકોટના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Rajkot Rain: અસહ્ય ગરમી બાદ રાજકોટના વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Jharkhand Rajya Sabha Results: પરિમલ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
Jharkhand Rajya Sabha Results: પરિમલ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
Weather Update: દેશમાં કાલે ભારે પવન અને કરા સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશમાં કાલે ભારે પવન અને કરા સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
ભારતમાં સસ્તી થશે બ્રિટનની કાર ! 15 જુલાઈથી નવા નિયમો અમલમાં, 3.78 લાખ વાહનોને મળશે ઘટાડેલી ડ્યુટીનો લાભ 
Confirm Train Ticket: રેલવે TTE એ જણાવી તત્કાલ કન્ફર્મ ટિકિટ બુક કરવાની જાદુઈ ટ્રિક, જાણી લો 
Confirm Train Ticket: રેલવે TTE એ જણાવી તત્કાલ કન્ફર્મ ટિકિટ બુક કરવાની જાદુઈ ટ્રિક, જાણી લો 
EPF Interest Rate: નોકરીયાત લોકો માટે સારા સમાચાર, સરકારે 8.25% વ્યાજ દરને આપી મંજૂરી 
EPF Interest Rate: નોકરીયાત લોકો માટે સારા સમાચાર, સરકારે 8.25% વ્યાજ દરને આપી મંજૂરી 
તમારું લીવર સ્વસ્થ છે કે નહીં, તમે ઘરે બેઠા આ રીતે કરી શકો છો ચેક
તમારું લીવર સ્વસ્થ છે કે નહીં, તમે ઘરે બેઠા આ રીતે કરી શકો છો ચેક
Embed widget