શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લાના સાવરકુંડલા-ખાંભા-ધારી પંથકમાં વરસાદ

અમરેલી જિલ્લામાં આજે છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે.

અમરેલી:  અમરેલી જિલ્લામાં આજે છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.  સાવરકુંડલા અને ખાંભા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.  શહેરમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

અમરેલી જિલ્લાના વડીયાના ગ્રામ્યમાં વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.  મોરવાડા, ખડખડ, બાવળ બરવાળા, બાટવા દેવળીમાં વરસાદી માહોલ જામ્યો  છે. વડીયાના ખાન ખીજડિયા ગામે મેઘો મહેરબાન થયો છે.  ગામના રસ્તાઓ પર નદીની માફક વરસાદી પાણી વહેતા થયા છે.  ધોધમાર વરસાદને પગલે ખાન ખીજડિયા ગામના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. અરજણસુખ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. વડીયા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 


Amreli Rain: અમરેલી જિલ્લાના સાવરકુંડલા-ખાંભા-ધારી પંથકમાં વરસાદ

અમરેલી જિલ્લાના ધારી શહેર તેમજ ગ્રામ્યમાં વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.  ધારી ગીરના ગ્રામ્યમાં ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે.  ધારી,  ગોપાલગ્રામ,  દહીંડા ખીચા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે.   

ગુજરાતમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજસ્થાન તરફથી તો ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં હવે થોડા જ દિવસમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે.  જો કે, આજે સુરત, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગના મતે હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.  પરંતુ ભેજના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ ધીમીધારે વરસાદ વરસશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ અને સુરતમાં વરસાદ પડવાની શક્યાતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   

સુરત શહેરમાં વરસાદ

સુરતમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. એટલો બધો વરસાદ પડ્યો ન હતો તેમ છતાં શહેરના બે વિસ્તારની સ્થિતિ જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી થઈ ગઈ છે. સુરતના લિંબાયતમાં નીલગીરી ગ્રાઉંડ જતો રોડ એટલે કે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નિવાસસ્થાન બહાર જ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા અહીં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તો બીજો વિસ્તાર છે ઉધના-નવસારી રોડ પર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં તો કેડ સમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જાણે થંભી ગયો હતો. વહેલી સવારના લોકો તો પોતાના નોકરી ધંધાર્થે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્કૂલે રવાના થયા હતા. જોકે હજુ તો ઘરની બહાર નીકળે તે પહેલા જ રસ્તામાં અટવાઈ પડ્યા હતા.

  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget