શોધખોળ કરો

Manipur Violence: મણિપુર હિંસામાં 54 લોકોના મોત, 10 હજાર જવાનોને તૈનાત કરાયા

પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સમુદાયો વચ્ચેની લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા છે

મણિપુરમાં થયેલી હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે મણિપુરમાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. 54 મૃતકોમાંથી 16 મૃતદેહો ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 15 મૃતદેહો જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ઈમ્ફાલ ઈસ્ટમાં છે. આ સિવાય ઇમ્ફાલ પશ્ચિમમાં લામ્ફેલ ખાતે પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાને 23 લોકોના મોતની પુષ્ટી કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્યમાં સેના અને આસામ રાઈફલ્સના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સમુદાયો વચ્ચેની લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા છે. આ સિવાય લગભગ 100 લોકો ઘાયલ થયા છે. જોકે પોલીસ આ વાતની પુષ્ટી કરવા તૈયાર નહોતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ મૃતદેહો ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ, ચુરાચંદપુર અને બિશેનપુર જેવા જિલ્લાઓમાંથી લાવવામાં આવ્યા હતા. ગોળીથી ઘાયલ થયેલા ઘણા લોકોની સારવાર RIMS અને જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં પણ ચાલી રહી છે.

13 હજાર લોકોને બચાવી લેવાયા હતા

સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા કુલ 13,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સેનાના કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. આર્મી પીઆરઓએ કહ્યું કે સુરક્ષા દળોની ત્વરિત કાર્યવાહીને કારણે હિંસા પ્રભાવિત વિસ્તારોના વિવિધ લઘુમતી વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવાયા છે. ચુરાચંદપુર, કાંગપોકપી, મોરેહ અને કાકચિંગમાં સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે.

ઇમ્ફાલમાં સ્થિતિ સામાન્ય થવા લાગી

સૈન્ય એકમો, રેપિડ એક્શન ફોર્સ અને કેન્દ્રીય પોલીસ દળોને ઇમ્ફાલ ઘાટીના તમામ મુખ્ય વિસ્તારો અને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા હતા. પીટીઆઈના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે ઈમ્ફાલ ઘાટીમાં સ્થિતિ નિયંત્રણમાં આવવા લાગી છે. જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. શનિવારે અહીં દુકાનો અને બજારો ફરી ખુલી ગયા. લોકોએ ખરીદી કરી હતી. રસ્તાઓ પર વાહનો જોવા મળ્યા હતા.

મણિપુરના ચુરાચંદપુરમાં તેમના ગામમાં રજા પર ગયેલા CRPF કોબ્રા કમાન્ડોની શુક્રવારે સશસ્ત્ર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 204મી કોબ્રા બટાલિયનની ડેલ્ટા કંપનીના કોન્સ્ટેબલ ચોનખોલેન હાઓકિપનું બપોરે મૃત્યુ થયું હતું. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેની હત્યા કયા સંજોગોમાં કરવામાં આવી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget