શોધખોળ કરો

અમદાવાદ વિમાન દુર્ઘટના: એક જ બોડી બેગમાંથી 2 માથા મળવા મામલે તંત્રએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

અમદાવાદ પ્લેન ક્રેશ: 80 મૃતદેહોના DNA મેચ થતા ઓળખ થઈ.

Air India plane crash Ahmedabad: ગુરુવાર, 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની હૃદયદ્રાવક વિગતો જેમ જેમ સામે આવી રહી છે, તેમ તેમ તંત્ર અને પીડિત પરિવારોની મુશ્કેલીઓ વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની ઓળખની જટિલ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે એક બોડી બેગમાંથી બે અલગ-અલગ વ્યક્તિઓના માથા મળી આવવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. જોકે આ મામલે સિવિલ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, આવી કોઈ ઘટના બની નથી. 

તંત્રનો ખુલાસો...


અમદાવાદ વિમાન દુર્ઘટના: એક જ બોડી બેગમાંથી 2 માથા મળવા મામલે તંત્રએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

80 મૃતદેહોના DNA મેચ થતા ઓળખ થઈ

શહેરને ધ્રુજાવી દેનાર પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી મૃતદેહોની ઓળખ અને તેને સ્વજનોને સોંપવાની કઠિન પ્રક્રિયામાં મહત્વની પ્રગતિ થઈ છે. રવિવાર સાંજ સુધીમાં, તબીબી ટીમે DNA મેચિંગ દ્વારા કુલ 80 મૃતદેહોની સફળતાપૂર્વક ઓળખ કરી લીધી છે અને તમામ મૃતકોના પરિજનોનો સંપર્ક પણ સાધી લેવામાં આવ્યો છે. જોકે, હોસ્પિટલ પરિસરમાં ગમગીની અને કરુણાનો માહોલ યથાવત છે કારણ કે પરિવારો માટે તેમના પ્રિયજનોના અવશેષો સ્વીકારવાની ક્ષણ અત્યંત પીડાદાયક બની રહી છે.

મૃતદેહો સોંપવાની જટિલ અને સંવેદનશીલ પ્રક્રિયા

સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓળખાયેલા 80 મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં કુલ 33 મૃતદેહો તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે. આજે રવિવાર રાત્રે વધુ 2 પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવશે. આ ઉપરાંત, આવતીકાલે સોમવારે અન્ય 13 પરિવારો મૃતદેહ લેવા માટે હોસ્પિટલ આવશે.

આ પ્રક્રિયાની જટિલતા એ વાત પરથી સમજી શકાય છે કે 11 પરિવારો એવા છે જેમણે આ દુર્ઘટનામાં એકથી વધુ સભ્યો ગુમાવ્યા છે. આ પરિવારોએ તંત્રને જણાવ્યું છે કે તેઓ તેમના તમામ સ્વજનોના મૃતદેહો એકસાથે જ સ્વીકારવા માંગે છે. જ્યારે અન્ય 21 પરિવારોએ જણાવ્યું છે કે તેઓ આઘાતમાંથી બહાર આવીને અને પરસ્પર ચર્ચા કરીને મૃતદેહ ક્યારે લઈ જવા તે અંગે તંત્રને જાણ કરશે. હોસ્પિટલ પ્રશાસન દરેક પરિવારની ભાવનાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલતાપૂર્વક કાર્યવાહી કરી રહ્યું છે.

સોંપાયેલા મૃતદેહોની વિસ્તાર મુજબની વિગતો

રવિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં સોંપવામાં આવેલા 33 મૃતદેહો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરો અને જિલ્લાઓના હતા. જેની વિગતો નીચે મુજબ છે:

  • અમદાવાદ: 12
  • વડોદરા: 5
  • આણંદ: 4
  • મહેસાણા: 4
  • ખેડા: 2
  • ભરૂચ: 2
  • બોટાદ: 1
  • ઉદયપુર (રાજસ્થાન): 1
  • જોધપુર (રાજસ્થાન): 1
  • અરવલ્લી: 1

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
કોમી એકતાની મિસાલ: યુપીના આ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ! આજ સુધી નથી થઈ કોઈ ચોરી
કોમી એકતાની મિસાલ: યુપીના આ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ! આજ સુધી નથી થઈ કોઈ ચોરી
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
Embed widget