Chandrayan 3: ચંદ્ર પર ફરી થઈ સવાર! શું વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે? ઈસરોએ કરી ખાસ તૈયારી
Chabdrayan-3 Update: 23 ઓગસ્ટે ISROએ ચંદ્રયાન-3 લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. તે પછી, ચંદ્રયાન-3 માં પેલોડે 14 દિવસ સુધી શાનદાર કામ કર્યું.
![Chandrayan 3: ચંદ્ર પર ફરી થઈ સવાર! શું વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે? ઈસરોએ કરી ખાસ તૈયારી Chandrayan 3: Morning on the moon! Will Vikram and Pragyan wake up? ISRO made special preparations Chandrayan 3: ચંદ્ર પર ફરી થઈ સવાર! શું વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે? ઈસરોએ કરી ખાસ તૈયારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/24/2daefaa7d15fcf8fbd5ce952471c416d1692849457839798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chansrayan-3 Update: પૃથ્વીથી લગભગ ત્રણ લાખ 75 હજાર કિલોમીટર દૂર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચનાર ચંદ્રયાન-3નું લેન્ડર અને રોવર ફરી એકવાર જાગવાની અપેક્ષા છે. ચંદ્ર પર 14 દિવસની રાત પછી, 22 સપ્ટેમ્બરે સૂર્યોદય પછી પ્રકાશ આખરે દક્ષિણ ધ્રુવીય પ્રદેશમાં પહોંચશે. અહીં, શિવ શક્તિ પોઈન્ટ પર, જ્યાં ચંદ્રયાન ઉતર્યું હતું, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સ્લીપ મોડમાં પાર્ક છે. વૈજ્ઞાનિકોને આશા છે કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન તેમની સોલાર પેનલ પર સૂર્યપ્રકાશ પડતાની સાથે જ કામ કરવાનું શરૂ કરી શકે છે.
ISRO ચંદ્રયાન-3 સાથે સંચારની તૈયારી કરી રહ્યું છે
ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. બુધવારના એક દિવસ પહેલા, ISROએ માઇક્રો બ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) પર આ વિશે અપડેટ આપ્યું છે. ISROએ કહ્યું, "શિવ શક્તિ પોઈન્ટ પર વહેલી સવારે સૂર્યોદયની અપેક્ષા છે. ટૂંક સમયમાં જ વિક્રમ અને પ્રજ્ઞાનને જરૂરી માત્રામાં સૂર્યપ્રકાશ મળશે." ISROએ જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બર (શુક્રવાર) ના રોજ તેમની સાથે સંચાર પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કરતા પહેલા, લેન્ડર અને રોવર ચોક્કસ તાપમાન ઉપર ગરમ થાય તેની રાહ જોશે. "
ઈસરોના અધ્યક્ષનું શું કહેવું છે?
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે તેઓ આશાવાદી છે કે તેના પેલોડ્સ શિવ શક્તિ પોઈન્ટ પર સૂર્યોદય પછી ફરીથી કામ કરવાનું શરૂ કરશે, જ્યાં લેન્ડર અને રોવર પાર્ક છે. ઈસરોની ટીમ 21 અને 22 સપ્ટેમ્બરે ફરી વાતચીત કરવાનો પ્રયાસ કરશે. "અમે માત્ર આશા રાખી શકીએ છીએ કે બંને ઉપકરણો ફરીથી કામ કરવાનું શરૂ કરશે."
ચંદ્રયાન-3એ 23 ઓગસ્ટે ઈતિહાસ રચ્યો હતો
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં તેના સફળ ઉતરાણ પછી ઇતિહાસ રચ્યો હતો. તેના પેલોડ્સે ત્યાં એક ચંદ્ર દિવસ એટલે કે 14 પૃથ્વી દિવસો સુધી ખૂબ જ સારી રીતે કામ કર્યું. ચંદ્રની જમીનમાં સલ્ફર, આયર્ન અને ઓક્સિજન સહિતના અન્ય ખનિજોની હાજરીની પુષ્ટિ કરવા સાથે, લેન્ડર અને વિક્રમે એકબીજાના અદભૂત ફોટોગ્રાફ્સ પણ લીધા અને પૃથ્વી પર મોકલ્યા. આ સિવાય ચંદ્રની સપાટી પર ધરતીકંપની ગતિવિધિઓ પણ નોંધવામાં આવી હતી.
લેન્ડિંગના 14 દિવસ પછી, ISROએ ચંદ્ર પર સૂર્યાસ્ત પહેલા આદેશ મોકલ્યો, ત્યારબાદ લેન્ડરે ફરી એક વાર ટૂંકી ઉડાન ભરી અને તેના સ્થાનથી થોડે દૂર લેન્ડ કર્યું. લેન્ડર અને વિક્રમને ત્યાં સૂર્યાસ્ત પહેલા પાર્ક કરીને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યા હતા.
લેન્ડર અને વિક્રમમાં સ્થાપિત સોલાર પેનલ પર સૂર્યપ્રકાશ પડવાથી બેટરી ચાર્જ થાય છે. જો કે પૃથ્વી પર તેમનું -150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચંદ્ર પર તાપમાન રાત્રે -200 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું પહોંચે છે. જેના કારણે આ બેટરીઓ ડેડ થવાની સંભાવના છે.
વિક્રમ અને પ્રજ્ઞાન ફરી કામ કરવા લાગે તો શું ફાયદો થશે?
જો પૃથ્વીની સૌથી નજીકના અવકાશી પદાર્થ ચંદ્ર પર ખનીજ અને પાણીની શોધ કરી રહેલા ભારતીય ચંદ્રયાન-3નું લેન્ડર અને રોવર ફરીથી કામ કરવાનું શરૂ કરે તો તે સમગ્ર વિશ્વમાં ભારતની સ્વદેશી ટેકનોલોજીને પ્રદર્શિત કરશે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રિમોટ સેન્સિંગ, રિમોટ નેવિગેશન, રિમોટ માઇનિંગ, ડિજિટલ કન્ટ્રોલ્ડ ડ્રાઇવિંગ અને હિટ શિલ્ડિંગની અભૂતપૂર્વ તકનીકોના દરવાજા ખુલશે. આ નવા ઉદ્યોગોને જન્મ આપશે, જે ભારતની હિટ શિલ્ડિંગ ટેક્નોલોજી સાથે, પૃથ્વીથી દૂર અન્ય કોઈપણ અવકાશી પદાર્થ પર વાહનોને લેન્ડિંગ કરવામાં સફળ થશે, તાપમાનને ધ્યાનમાં લીધા વિના અને ઓછા ખર્ચે તેમને લાંબા સમય સુધી ચલાવવા માટે સક્ષમ બનાવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)