શોધખોળ કરો
Coronavirus: દેશમાં કોરોના વાયરસની 85% મોત કઈ ઉંમરના લોકોના થયા ? જાણો વિગતે
દેશમાં કુલ મામલામાં 22.23 ટકા કેસ એક્ટિવ છે. રિકવરી રેટ 75 ટકાથી વધારે થયો છે અને અત્યાર સુધીમાં 3 કરોડ 60 લાખ ટેસ્ટ થઈ ચુક્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં આજે કોરોનાના નવા 60,971 કેસ નોંધાયા હતા અને 848 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,67,324 પર પહોંચી છે, જેમાંથી 7,04,348 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 24,04,585 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 58,390 પર પહોંચ્યો છે. દેશમાં કુલ મામલામાં 22.23 ટકા કેસ એક્ટિવ છે. રિકવરી રેટ 75 ટકાથી વધારે થયો છે અને અત્યાર સુધીમાં 3 કરોડ 60 લાખ ટેસ્ટ થઈ ચુક્યા છે. કુલ એક્ટિવ મામલામાંથી 2.70 ટકા જ ઓક્સિજન સપોર્ટ છે. એક્ટિવ મામલામાંથી 1.92 ટકા દર્દી આઈસીયુમાં છે અને 0.29 ટકા વેંટિલેટર સપોર્ટ પર છે. જે લોકોનું સંક્રમણના કારણે મોત થયું તેમાં પુરુષોની સંખ્યા 69% અને મહિલાઓની સંખ્યા 31% છે. દેશમાં 0-17 વર્ષના લોકોમાં મોતનું પ્રમાણ 1 ટકા છે. 28-25 વર્ષના લોકોના મોતનું પ્રમાણ પણ 1 ટકા છે. 26-44 વર્ષના લોકોના મોતનું પ્રમાણ 11 ટકા, 45-60 વર્ષના લોકોના મોતનું પ્રમાણે 36 ટકા અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોના મોતનું પ્રમાણ 51 ટકા છે.
ભારતમાં કોરોના સંક્રમણથી થયેલા 85 ટકા મોત 45 વર્ષ કે તેથી વધુના લોકોના થયા છે. હાલ ભારતમાં કોરોનાથી મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.84 ટકા છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
વધુ વાંચો






















