શોધખોળ કરો

Cyclone Ditwah Alert: જળબંબાકારની ભીતિ, ૨૪ કલાકમાં ૨૦ ઇંચ વરસાદ? આ રાજ્યોમાં એલર્ટ જાહેર, NDRFની ટીમો તૈનાત

Cyclone Ditwah landfall time India: ચેન્નાઈથી માત્ર 470 કિમી દૂર: 30 નવેમ્બરે દરિયાકાંઠે ટકરાવાની શક્યતા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ; શ્રીલંકામાં 123 ના મોત.

Cyclone Ditwah landfall time India: પડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા બાદ ભયંકર ચક્રવાત ' દિતવાહ' (Ditwah) હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જારી કરી છે કે આ વાવાઝોડું 30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરી શકે છે. શ્રીલંકામાં આ કુદરતી આફતે 100 થી વધુ લોકોનો ભોગ લીધો છે, જ્યારે ભારતમાં ચેન્નાઈ સહિતના ઉત્તરીય ભાગોમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વાવાઝોડાની ગતિ ધીમી હોવાને કારણે તે વધુ વરસાદ વરસાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ચેન્નાઈ તરફ આગળ વધી રહ્યું છે સંકટ

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, ચક્રવાત ' દિતવાહ' હાલમાં ચેન્નાઈથી દક્ષિણમાં આશરે 470 કિલોમીટર દૂર સ્થિત છે. ચિંતાની વાત એ છે કે વાવાઝોડાની આગળ વધવાની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે. છેલ્લા 15 કલાકમાં તે માત્ર 70 કિમીનું અંતર કાપી શક્યું છે અને હાલ તેની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે. ધીમી ગતિને કારણે તે લાંબો સમય એક જ જગ્યાએ રહીને ભારે વરસાદ વરસાવી શકે છે. આગાહી મુજબ, તે શ્રીલંકાના દરિયાકાંઠેથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી પહોંચશે.

ભારે વરસાદ અને પવનનું રેડ એલર્ટ

IMD એ શનિવારથી જ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.

પવનની ગતિ: દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને 90 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. પુડુચેરી, કરાઈકલ અને ડેલ્ટા પ્રદેશોમાં તોફાની પવનો ફૂંકાશે.

વરસાદનું એલર્ટ: હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુના ચાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં 24 કલાકમાં 20 સે.મી.થી વધુ વરસાદની શક્યતા સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. જ્યારે ચેન્નાઈ અને આસપાસના 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (12-20 સે.મી.) માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ: રાયલસીમા અને દક્ષિણ આંધ્રના તટવર્તી વિસ્તારોમાં પણ શનિ-રવિ દરમિયાન ભારે વરસાદની ચેતવણી છે. તંત્ર દ્વારા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

શ્રીલંકામાં વેરેલો વિનાશ અને ભારતની મદદ

આ ચક્રવાતે શ્રીલંકામાં હાહાકાર મચાવ્યો છે. ત્યાં પૂર અને ભૂસ્ખલનને કારણે 123 લોકોના મોત થયા છે, જ્યારે 3,73,000 લોકો અસરગ્રસ્ત થયા છે અને 43,000 થી વધુ લોકોને ઘરબાર છોડવા પડ્યા છે. સંકટના આ સમયમાં ભારતે એક સારા પાડોશી તરીકે શ્રીલંકાની મદદે હાથ લંબાવ્યો છે. ભારતે 'ઓપરેશન સાગર બંધુ' શરૂ કર્યું છે, જે અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજો INS વિક્રાંત અને INS ઉદયગિરી દ્વારા રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો શ્રીલંકા મોકલવામાં આવ્યો છે.

હવે શું થશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બરે વાવાઝોડું ચેન્નાઈના કિનારાને સમાંતર આગળ વધશે અને ત્યારબાદ તે નબળું પડીને 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ જશે. જોકે, તે નબળું પડે તે પહેલાં વ્યાપક વરસાદ લાવી શકે છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget