શોધખોળ કરો

Cyclone Ditwah Alert: જળબંબાકારની ભીતિ, ૨૪ કલાકમાં ૨૦ ઇંચ વરસાદ? આ રાજ્યોમાં એલર્ટ જાહેર, NDRFની ટીમો તૈનાત

Cyclone Ditwah landfall time India: ચેન્નાઈથી માત્ર 470 કિમી દૂર: 30 નવેમ્બરે દરિયાકાંઠે ટકરાવાની શક્યતા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ; શ્રીલંકામાં 123 ના મોત.

Cyclone Ditwah landfall time India: પડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા બાદ ભયંકર ચક્રવાત ' દિતવાહ' (Ditwah) હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જારી કરી છે કે આ વાવાઝોડું 30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરી શકે છે. શ્રીલંકામાં આ કુદરતી આફતે 100 થી વધુ લોકોનો ભોગ લીધો છે, જ્યારે ભારતમાં ચેન્નાઈ સહિતના ઉત્તરીય ભાગોમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વાવાઝોડાની ગતિ ધીમી હોવાને કારણે તે વધુ વરસાદ વરસાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ચેન્નાઈ તરફ આગળ વધી રહ્યું છે સંકટ

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, ચક્રવાત ' દિતવાહ' હાલમાં ચેન્નાઈથી દક્ષિણમાં આશરે 470 કિલોમીટર દૂર સ્થિત છે. ચિંતાની વાત એ છે કે વાવાઝોડાની આગળ વધવાની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે. છેલ્લા 15 કલાકમાં તે માત્ર 70 કિમીનું અંતર કાપી શક્યું છે અને હાલ તેની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે. ધીમી ગતિને કારણે તે લાંબો સમય એક જ જગ્યાએ રહીને ભારે વરસાદ વરસાવી શકે છે. આગાહી મુજબ, તે શ્રીલંકાના દરિયાકાંઠેથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી પહોંચશે.

ભારે વરસાદ અને પવનનું રેડ એલર્ટ

IMD એ શનિવારથી જ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.

પવનની ગતિ: દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને 90 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. પુડુચેરી, કરાઈકલ અને ડેલ્ટા પ્રદેશોમાં તોફાની પવનો ફૂંકાશે.

વરસાદનું એલર્ટ: હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુના ચાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં 24 કલાકમાં 20 સે.મી.થી વધુ વરસાદની શક્યતા સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. જ્યારે ચેન્નાઈ અને આસપાસના 13 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ (12-20 સે.મી.) માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ: રાયલસીમા અને દક્ષિણ આંધ્રના તટવર્તી વિસ્તારોમાં પણ શનિ-રવિ દરમિયાન ભારે વરસાદની ચેતવણી છે. તંત્ર દ્વારા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

શ્રીલંકામાં વેરેલો વિનાશ અને ભારતની મદદ

આ ચક્રવાતે શ્રીલંકામાં હાહાકાર મચાવ્યો છે. ત્યાં પૂર અને ભૂસ્ખલનને કારણે 123 લોકોના મોત થયા છે, જ્યારે 3,73,000 લોકો અસરગ્રસ્ત થયા છે અને 43,000 થી વધુ લોકોને ઘરબાર છોડવા પડ્યા છે. સંકટના આ સમયમાં ભારતે એક સારા પાડોશી તરીકે શ્રીલંકાની મદદે હાથ લંબાવ્યો છે. ભારતે 'ઓપરેશન સાગર બંધુ' શરૂ કર્યું છે, જે અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજો INS વિક્રાંત અને INS ઉદયગિરી દ્વારા રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો શ્રીલંકા મોકલવામાં આવ્યો છે.

હવે શું થશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બરે વાવાઝોડું ચેન્નાઈના કિનારાને સમાંતર આગળ વધશે અને ત્યારબાદ તે નબળું પડીને 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ જશે. જોકે, તે નબળું પડે તે પહેલાં વ્યાપક વરસાદ લાવી શકે છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget