શોધખોળ કરો

MM Naravane Book: શું નિવૃત્તિના 20 વર્ષ સુધી પુસ્તક નહીં લખી શકે લશ્કરી અધિકારીઓ? રાજનાથ સિંહે કર્યો ખુલાસો

MM Naravane Book: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એવા અહેવાલોનું ખંડન કર્યું કે લશ્કરી અધિકારીઓને નિવૃત્તિ પછી 20 વર્ષ સુધી પુસ્તકો લખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

MM Naravane Book Controversy: પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેના પુસ્તક અંગેના વિવાદ બાદ પ્રથમ વખત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પૂર્વ સેના પ્રમુખો દ્વારા પુસ્તકો લખવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. સંરક્ષણ મંત્રીએ એ અહેવાલોને પણ સદંતર ખોટા ગણાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેના સાથે જોડાયેલા અધિકારીઓને નિવૃત્તિના 20 વર્ષ સુધી કોઈ પુસ્તક લખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

તાજેતરમાં સંસદના બજેટ સત્ર દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ જનરલ નરવણેના પુસ્તકને છાપવાની મંજૂરી આપવા બાબતે સરકારને સવાલ કર્યો હતો. ત્યારબાદ સંસદમાં જબરદસ્ત વિવાદ થયો હતો અને સત્ર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. વર્ષ 2020માં ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ અને સરહદ વિવાદ પર તકરાર દરમિયાન, જનરલ એમએમ નરવણે (હવે નિવૃત્ત) દેશના સેના પ્રમુખ હતા (માર્ચ 2020-એપ્રિલ 2022). ઓક્ટોબર 2023માં જનરલ નરવણેએ સમાચાર એજન્સી પીટીઆઈને એક ઇન્ટરવ્યુ દ્વારા જણાવ્યું હતું કે તેમણે પોતાની આત્મકથા, 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' (Four Stars of Destiny) લખી છે. પીટીઆઈએ આ પુસ્તકના કેટલાક અંશો પણ પ્રકાશિત કર્યા હતા.

જનરલ નરવણેએ પુસ્તકમાં ગલવાન ઘાટીની અથડામણ (15-16 મે 2020) થી લઈને ચીન સાથે થયેલા ડિસએન્ગેજમેન્ટ એટલે કે સરહદ વિવાદના ઉકેલ માટેના કરાર વિશેની સંપૂર્ણ માહિતી જાહેર કરી દીધી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે ફોન પર થયેલી વાતચીત અને બેઠકો વિશે પોતાની પુસ્તકમાં વિગતવાર લખ્યું છે. તે પુસ્તકમાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) અને ચાઇના સ્ટડી ગ્રુપ (CSG) ની મીટિંગનો પણ ઉલ્લેખ છે.

પૂર્વ સેના અધ્યક્ષે પોતાના હેઠળના કમાન્ડરો સાથે થયેલી વાતચીત અને તેમને આપેલા ઓર્ડર (દિશા-નિર્દેશો) પણ પુસ્તકમાં લખ્યા છે. આ તમામ બાબતોને કારણે સરકારે (સંરક્ષણ મંત્રાલયે) સીધા જનરલ નરવણેના બદલે, પુસ્તક પ્રકાશિત કરનાર પબ્લિશિંગ હાઉસ પાસેથી પુસ્તકનો આખો ડ્રાફ્ટ મંગાવ્યો હતો. જે પુસ્તક એપ્રિલ 2024માં પ્રકાશિત થવાનું હતું, તેને આજ સુધી લીલી ઝંડી મળી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, જનરલ નરવણેના પુસ્તકને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ (OSA) અને આર્મી એક્ટ હેઠળ રોકવામાં આવ્યું છે, કારણ કે પુસ્તક રિલીઝ થવાથી સેના સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી જાહેર થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Embed widget