શોધખોળ કરો

Ghulam Nabi Azad : તો શું દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદની કોંગ્રેસમાં થશે "ઘર વાપસી'?

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુલામ નબી આઝાદ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Ghulam Nabi On Congress: કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં ફરી એકવાર ઘર વાપસી કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની ચર્ચાઓ અને અહીં ભારત જોડો યાત્રાના આગમન વચ્ચે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરી શકે તેવા અહેવાલ છે. આ અંગે વાતચીત પણ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આઝાદે આ વર્ષે 26 ઓગસ્ટે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપીને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની રચના કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુલામ નબી આઝાદ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપનો મુકાબલો માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. તેઓ કોંગ્રેસની નીતિની વિરુદ્ધ નથી, પરંતુ પાર્ટીની નબળી વ્યવસ્થાથી નારાજ છે. સમાચાર એજન્સી ANIને આ આશંકા વ્યક્ત કરી છે. 

આ ટીપ્પણી બાદ ભારત જોડો યાત્રાના સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે તેમને યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. આ પછી કોંગ્રેસમાં પરિવર્તનની માંગણી કરી રહેલા G23માં સામેલ પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા અને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે તેમની સાથે વાત કરી હતી.

ગુલામ નબી આઝાદે આ મામલે કહ્યું કે... 

ગુલામ નબી આઝાદે સૂત્રોના દાવાને ફગાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં ફરી જોડાવા અંગે ANIના પત્રકારની વાર્તા જોઈને હું ચોંકી ગયો છું. કમનસીબે કોંગ્રેસ પાર્ટીના નેતાઓના એક વર્ગ દ્વારા આવી વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે અને મારા નેતાઓ અને સમર્થકોને નિરાશ કરવા તેઓ આમ કરી રહ્યા છે.

કોંગ્રેસમાં શા માટે જોડાઈ શકે?

હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને અંબિકા સોનીને ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચે અંતરને ઘટાડવાની અને તેમને ફરી રાજી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ તારાચંદે પણ આઝાદનો સાથ છોડી દીધો હતો. આ ઘટનાને આઝાદ કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરવાના કારણ તરીકે જોવામાં આવી રહી છે.

 ભારત જોડો યાત્રાને લઈ આઝાદ કેમ મૌન? 

ગાંધી પરિવારના વિશ્વાસુ કોંગ્રેસી નેતા અંબિકા સોનીએ ગુલામ નબી આઝાદને ભારત જોડો યાત્રામાં જોડાવા કહ્યું છે. આ દરમિયાન તેમને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કરવાનું પણ કહેવામાં આવ્યું હતું કારણ કે, તેમણે રાજીનામું આપતી વખતે રાહુલ ગાંધી પર અનેક અંગત પ્રહારો કર્યા હતા. તેઓ ભારત જોડો યાત્રામાં જોડાશે કે નહીં તેને લઈને ગુલામ નબી આઝાદે મગનું નામ મરી પાડ્યું નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget