શોધખોળ કરો

Arvind Kejriwal Bail: કેજરીવાલને ના મળી રાહત, સુપ્રીમ કોર્ટે ના આપ્યા વચગાળાના જામીન, CBIને પણ નૉટિસ

Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી

Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે (14 ઓગસ્ટ) કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, જેઓ કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે વિનંતી કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે અમે કોઈને વચગાળાના જામીન આપી શકીએ નહીં.

વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર પૉલીસી કેસમાં સીબીઆઈ દ્વારા તેમની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે સીબીઆઈને નૉટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. દારૂ નીતિ કેસમાં જ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને લગભગ 17 મહિના પછી જામીન મળી ગયા છે.

કેજરીવાલના જામીનને બનાવાઇ વચાગાળાની રાહત માટે આધાર 
સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે કેજરીવાલને મની લૉન્ડરિંગ કેસમાં ત્રણ વખત વચગાળાના જામીન મળ્યા છે. તેમને 10 મે અને 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. તેણે મની લૉન્ડરિંગ કેસમાં 20 જૂને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિંઘવીએ કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. તેમણે એવી દલીલ પણ કરી હતી કે જ્યારે કોઈ કડક શરતો ન હોય ત્યારે સીબીઆઈના કેસમાં જામીન કેવી રીતે નકારી શકાય.

અમે વચગાળાના જામીન નથી આપી રહ્યાંઃ સુપ્રીમ કોર્ટ 
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સીબીઆઈએ ઈડી કેસમાં વચગાળાના જામીન પહેલા કેજરીવાલની ધરપકડ કરી હતી, તેથી તેઓ હજુ પણ જેલમાં છે. તેને માત્ર વચગાળાના જામીન જોઈએ છે. તેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારના વચગાળાના જામીન નથી આપી રહ્યા. સિંઘવીએ કોર્ટને વિનંતી કરી હતી કે કેજરીવાલ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ. આ રીતે, સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ લિસ્ટ કરી છે.

સીબીઆઇએ કેજરીવાલની ક્યારે કરી ધરપકડ ?
સુપ્રીમ કોર્ટ સમક્ષ કેજરીવાલની તાજેતરની અરજી 5 ઓગસ્ટના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારે છે, જેમાં CBIની ધરપકડ સામેની તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દેતા કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું. AAP વડાની ઔપચારિક રીતે CBI દ્વારા 26 જૂન, 2024 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં પહેલેથી જ ED ન્યાયિક કસ્ટડીમાં હતા.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
Embed widget