શોધખોળ કરો

Atal Bihari Vajpayee: આજે દેશના પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીની 100મી જન્મજયંતિ, પીએમ મોદીએ અર્પિત કરી શ્રદ્ધાંજલિ

Atal Bihari Vajpayee News: પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એક લેખ લખ્યો છે. 25મી ડિસેમ્બરનો આ દિવસ ભારતીય રાજકારણ અને ભારતીય જનતા માટે સુશાસનનો મજબૂત દિવસ છે

Atal Bihari Vajpayee News: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિ છે. દિલ્હી સ્થિત તેમની સમાધિ સદૈવ અટલ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન હતા. તેમને 27 માર્ચ 2025ના રોજ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એક લેખ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું- 25મી ડિસેમ્બરનો આ દિવસ ભારતીય રાજકારણ અને ભારતીય જનતા માટે સુશાસનનો મજબૂત દિવસ છે. તેઓ એક રાજનેતાની જેમ ઉભા રહ્યા અને લોકોને પ્રેરણા આપી. પીએમે આગળ લખ્યું- અટલ બિહારી વાજપેયીએ હૉર્સ ટ્રેડિંગ નથી કર્યું. ગંદા રાજકારણના રસ્તે ચાલવાને બદલે 1996માં રાજીનામું આપવાનું પસંદ કર્યું હતુ. 1999માં તેમની સરકાર 1 વૉટથી પડી ગઇ હતી.

અટલજી દેશના બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા 
અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલ બિહારી વાજપેયી દાયકાઓ સુધી ભાજપનો એક મોટો ચહેરો હતા અને પીએમ તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા. તેમણે 1977 થી 1979 સુધી વડાપ્રધાન મોરાજી દેસાઈની કેબિનેટમાં ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 16 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

અટલ બિહારી વાજપેયી ત્રણ વાર બન્યા દેશના વડાપ્રધાન  
- અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. સૌથી પહેલા તેઓ 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. બહુમતી સાબિત ન કરી શકવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
- તેઓ 1998માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. સાથી પક્ષો દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે, 1999 માં 13 મહિના પછી ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ.
- 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આ વખતે તેમણે 2004 સુધીનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

આ પણ વાંચો

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election 2025 Phase 1 Voting LIVE: પહેલા તબક્કાની 121 બેઠકો પર મતદાન, મૈથિલી ઠાકુરે કહી મોટી વાત
Bihar Election 2025 Phase 1 Voting LIVE: પહેલા તબક્કાની 121 બેઠકો પર મતદાન, મૈથિલી ઠાકુરે કહી મોટી વાત
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને કોનો કોનો ટેકો ?
Hun To Bolish : હું તો બોલીશ : હુડામાં સરકાર લેશે યુ-ટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !
Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election 2025 Phase 1 Voting LIVE: પહેલા તબક્કાની 121 બેઠકો પર મતદાન, મૈથિલી ઠાકુરે કહી મોટી વાત
Bihar Election 2025 Phase 1 Voting LIVE: પહેલા તબક્કાની 121 બેઠકો પર મતદાન, મૈથિલી ઠાકુરે કહી મોટી વાત
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરી રહેલા ભારતીયો માટે ફાયદો, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી
કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરી રહેલા ભારતીયો માટે ફાયદો, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી
IND vs AUS 4th T20I Playing 11 Prediction: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20, મેક્સવેલની થશે વાપસી!
IND vs AUS 4th T20I Playing 11 Prediction: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20, મેક્સવેલની થશે વાપસી!
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Embed widget