શોધખોળ કરો

આ વર્ષે પણ સરહદ પર જવાનો સાથે દિવાળી મનાવી શકે છે PM Modi, કેદારનાથ અને બદ્રીનાથ મંદિરમાં કરશે પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પહેલા કેદારનાથ અને બદ્રીનાથ જશે

PM Modi Diwali Plan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પહેલા કેદારનાથ અને બદ્રીનાથ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 22 અને 23 ઓક્ટોબરે ઉત્તરાખંડના પ્રવાસે હશે. સૌથી પહેલા 22 ઓક્ટોબરે પીએમ મોદી કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ 22 ઓક્ટોબરે સાંજે તેઓ બદ્રીનાથ ધામ પહોંચશે. પીએમ મોદી યાત્રાધામો પર ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી સરહદ પર તૈનાત જવાનો સાથે દિવાળી મનાવી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળી અને ત્યારથી તેઓ સેનાની અલગ-અલગ પોસ્ટની મુલાકાત લઈને દિવાળીની ઉજવણી કરતા જોવા મળે છે. પીએમ મોદીએ 2016માં હિમાચલ પ્રદેશના ચાંગો ગામમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2017 માં પીએમ મોદી દિવાળી મનાવવા માટે જમ્મુ-કાશ્મીરની ગુરેઝ ઘાટી પહોંચ્યા હતા. અહીં તેમણે સેનાના જવાનોને પણ સંબોધિત કર્યા હતા.

2018 અને 2019 ની દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018માં દિવાળીની ઉજવણી કરવા ઉત્તરાખંડના હરસિલ પહોંચ્યા હતા. અહીં તેમણે સેનાના જવાનો સાથે પવિત્ર તહેવાર પર ખુશીઓ વહેંચી હતી. 2019 માં ભાજપે લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવી અને પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા જમ્મુ અને કાશ્મીરના રાજૌરી પહોંચ્યા હતા.

લોંગેવાલા પોસ્ટ અને નૌશેરા ખાતે PMની દિવાળી

લોંગેવાલા પોસ્ટ (રાજસ્થાન) પર તૈનાત સૈનિકો માટે 2020ની દિવાળી ખૂબ જ ખાસ હતી. અહીં દેશના વડાપ્રધાન તેમની વચ્ચે હાજર રહ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ આ પોસ્ટ પર સૈનિકો સાથે વર્ષ 2020ની દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે ગયા વર્ષે એટલે કે 2021 માં પીએમ મોદીએ નૌશેરા (જમ્મુ અને કાશ્મીર) માં દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવ્યો હતો. પીએમએ અહીં જવાનોને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે તેઓ માતા ભારતીના સુરક્ષા કવચ છે.

Modi Cabinet Decision: રેલવે કર્મચારીઓને મોદી કેબિનેટની દિવાળી ગિફ્ટ, મળશે બોનસ

IAF MiG 29K Fighter Jet Crash: ગોવાના દરિયામાં MiG 29K ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

5G Services in India: Airtel-Jio ને ટક્કર આપવા ગૌતમ અદાણી તૈયાર! મળ્યું ફુલ ટાઈમ લાઇસન્સ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Embed widget