શોધખોળ કરો

S Jaishankar: એસ. જયશંકરે કેમ કહ્યુ કે, જો CAAના હોત તો આ લોકોનું શું થાત!!!

વિદેશ મંત્રી જયશંકરે શીખ શરણાર્થીઓને મળ્યા બાદ કહ્યું હતું કે, તેઓએ (શીખ શરણાર્થીઓ) કાબુલમાં શું થયું તેનું ખૂબ જ વિગતવાર વર્ણન કર્યું છે

S Jaishankar On Afghan Sikh Refugees: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે આજે દિલ્હીમાં ગુરુ અર્જુન દેવ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. તેઓ અફઘાનિસ્તાનથી ભારત આવેલા શીખ શરણાર્થીઓને મળ્યા હતાં અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. વિદેશ મંત્રીએ શીખ શરણાર્થીઓના મુદ્દાને ઉકેલવાની ખાતરી આપવા સાથે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે, જો તે કાયદો ન હોત તો આ લોકોનું શું થાત.?

શીખ શરણાર્થીઓને મળ્યા બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે...

વિદેશ મંત્રી જયશંકરે શીખ શરણાર્થીઓને મળ્યા બાદ કહ્યું હતું કે, તેઓએ (શીખ શરણાર્થીઓ) કાબુલમાં શું થયું તેનું ખૂબ જ વિગતવાર વર્ણન કર્યું છે અને તેઓ જે કહેતા હતા તે બિલકુલ સાચું હતું. તમે વિચારો, કે જે કાયદા (CAA)ની વાત કરી રહ્યા છો તે કાયદા પર તેમને વિશ્વાસ હતો કે અમે પાછા આવીશું અને અમારૂ કર્તવ્ય હતું કે આમ થાય.

કેન્દ્રીય મંત્રી જયશંકરે કહ્યું હતું કે, તમે જોઈ શકો છો કે, જો તે કાયદો ન હોત તો આ લોકોનું શું થયું હોત? તેમણે કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક આપણે દરેક બાબતે રાજનીતિ કરીએ છીએ. પરંતુ આ રાજકારણની વાત નથી, માનવતાની વાત છે. તેમને આ હાલતમાં કોણ છોડી શકે? ”વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે તેઓ એ જ વિશ્વાસ સાથે આવ્યા છે. એ ભરોસા પર આપણે ખરા ઉતરવું પડશે. તેમની માંગણીઓ અને ચિંતાઓ ગમે તે હોય, અમે ચોક્કસપણે તે કોઈપણ રીતે તેમના માટે જેટલું કરી શકીએ તેટલુ જરૂરથી કરીશું. 

નાગરિકતા અને વિઝા અંગે શક્ય તમામ મદદ કરીશું - વિદેશ મંત્રી

આ અગાઉ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તેઓ અફઘાનિસ્તાનથી ભારત આવેલા શીખોને મળવા માંગે છે અને તેમના મુદ્દાઓ સમજવા માંગે છે. તેમને (શીખ શરણાર્થીઓને) વિઝા અને નાગરિકતા અંગે કેટલીક સમસ્યાઓ છે, તે સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. એસ જયશંકરે કહ્યું હતું કે, કેટલાક લોકો હજુ પણ તેમની નાગરિકતા મેળવવાની રાહ જોઈ રહ્યા છે. અમે નાગરિકતા અને વિઝા સંબંધિત તમામ શક્ય મદદ પૂરી પાડીશું. તેમને મદદ કરવાની અમારી જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપ સરકારની સિદ્ધિઓને લોકો સુધી લઈ જવા માટે અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત વિદેશ મંત્રીએ ગુરુવાર (8 જૂન)થી પોતાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી અને રાજકારણ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget