શોધખોળ કરો

Shiv Sena MLAs Row: ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, સ્પીકરના નિર્ણયને SCમાં પડકાર્યો 

ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજીને ફગાવી દેવાના મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય પર ઉદ્ધવ ઠાકરે જૂથે  સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે.

Maharashtra MLA Disqualification: ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજીને ફગાવી દેવાના મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય પર ઉદ્ધવ ઠાકરે જૂથે  સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. 

મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા એકબીજાના ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકની અરજીઓને બુધવારે (10 જાન્યુઆરી) સ્પીકર રાહુલ નાર્વેકરે ફગાવી દીધી હતી.

સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે. કારણ કે ચૂંટણી પંચે પણ આ વાત સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોની સભ્યતા અકબંધ રહેશે. આ નિર્ણય શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો હતો.

કયા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે લેવાયો નિર્ણય ?

શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેનારાઓમાં સીએમ એકનાથ શિંદે, આરોગ્ય પ્રધાન ડૉ. તાનાજી સાવંત, રોજગાર પ્રધાન સંદિપનરાવ ભુમરે, લઘુમતી વિકાસ પ્રધાન અબ્દુલ સત્તાર, ભરત ગોગાવલે, સંજય શિરસાટ અને યામિની જાધવનો સમાવેશ થાય છે.

ઉપરાંત અનિલભાઈ બાબર, ડૉ. કિનીકર બાલાજી પ્રહલાદ, પ્રકાશ સુર્વે, મહેશ શિંદે, લતા સોનાવણે, ચિમનરાવ રૂપચંદ પાટીલ, રમેશ બોરનારે, ડૉ. સંજય રાયમુલકર અને બાલાજી કલ્યાણકર.


મહારાષ્ટ્ર વિધાનસભામાં અયોગ્યતાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકર ચુકાદો આપી કહ્યું કે 1999ના બંધારણને ધ્યાનમાં રાખવું પડશે કારણ કે 2018નું બંધારણ ECI સમક્ષ અસ્તિત્વમાં ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ સોગંદનામાને ધ્યાનમાં લીધા છે અને પક્ષકારોની દલીલો પર આધાર રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ECI સમક્ષ બંધારણ પર વિચાર કરવો પડશે અને તેથી આ માંગ કરવામાં આવી છે.

વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. રાહુલ નાર્વેકરે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો હતો. સ્પીકર નાર્વેકરનો નિર્ણય શિંદે જૂથની તરફેણમાં આવ્યો હતો. સ્પીકરે ઉદ્ધવ જૂથની માંગને ફગાવી દીધી હતી. વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં કહ્યું કે, 'એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે.' 

સ્પીકરે કરેલી મહત્વની ટિપ્પણીઓ

  • ઉદ્ધવ જૂથની માગને સ્પીકરે ફગાવી દીધી છે.
  • ઉદ્ધવ એકલા ન લઈ શકે નિર્ણયઃ સ્પીકર
  • શિંદેને ઉદ્ધવ ઠાકરે ન હટાવી શકેઃ સ્પીકર
  • ઉદ્ધવનો નિર્ણય આખી પાર્ટીને ન પડે લાગૂઃ સ્પીકર
  • ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યોઃ સ્પીકર
  • 2018નું સંવિધાન સંશોધન રેકોર્ડમાં નથીઃ સ્પીકર
  • શિવસેનાનું 1999નું સંવિધાન જ માન્યઃ સ્પીકર
  • સાચી શિવસેના કઈ, તે મહત્વનો મુદ્દોઃ સ્પીકર
  • ECIના રેકોર્ડમાં શિંદે જૂથ અસલી શિવસેનાઃ સ્પીકર
  • ઉદ્ધવ જૂથની દલીલમાં દમ નથીઃ સ્પીકર
  • શિંદેને નેતા પદથી હટાવી નહોતા શકતાઃ સ્પીકર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યા 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યો 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
EPFO: 1.65 લાખ લોકોને જલદી મળશે વધારવામાં આવેલું પેન્શન, આટલા લોકોને મળી ચૂક્યો છે ફાયદો
EPFO: 1.65 લાખ લોકોને જલદી મળશે વધારવામાં આવેલું પેન્શન, આટલા લોકોને મળી ચૂક્યો છે ફાયદો
World Cancer Day: તમારા પરિવારમાં કેન્સરથી થયું છે કોઇનું મોત તો જરૂર કરાવો આ ટેસ્ટ
World Cancer Day: તમારા પરિવારમાં કેન્સરથી થયું છે કોઇનું મોત તો જરૂર કરાવો આ ટેસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યા 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર પર BJPએ ખર્ચ કર્યો 21 કરોડ, AAP અને કોંગ્રેસે કેટલા ખર્ચ્યા?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
World Cancer Day: કેન્સરથી બચવા માટેના આ પાંચ છે સૌથી કારગર ઉપાયો, જાણો કેવી રીતે કરશો બચાવ?
EPFO: 1.65 લાખ લોકોને જલદી મળશે વધારવામાં આવેલું પેન્શન, આટલા લોકોને મળી ચૂક્યો છે ફાયદો
EPFO: 1.65 લાખ લોકોને જલદી મળશે વધારવામાં આવેલું પેન્શન, આટલા લોકોને મળી ચૂક્યો છે ફાયદો
World Cancer Day: તમારા પરિવારમાં કેન્સરથી થયું છે કોઇનું મોત તો જરૂર કરાવો આ ટેસ્ટ
World Cancer Day: તમારા પરિવારમાં કેન્સરથી થયું છે કોઇનું મોત તો જરૂર કરાવો આ ટેસ્ટ
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
US Tariff: બેકફૂટ પર ડોનાલ્ડ ટ્રમ્પ! મેક્સિકો-કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય રખાયો મોકૂફ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
Embed widget